12 July, 2025 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ખારઘરમાં આવેલા હીરાનંદાની બ્રિજ પર બુધવારે વહેલી સવારે પૂરઝડપે જઈ રહેલી એક કારે લોનાવલા જઈ રહેલા ધારાવીના બાઇકર્સના ગ્રુપને અડફેટે લીધું હતું. આ દુર્ઘટનામાં ૨૩ વર્ષના માનવ યેલપ્પા કુચ્ચીકર્વેનું મોત થયું હતું, જ્યારે અન્ય ૮ બાઇકર્સ ઘાયલ થયા હતા. ઍક્સિડન્ટ કરીને ડ્રાઇવર કાર ભગાવી ગયો હતો. પનવેલ તાલુકા પોલીસે આ સંદર્ભે અકસ્માતની નોંધ કરીને કારના ડ્રાઇવરને શોધી કાઢવાના પ્રયાસ ચાલુ કર્યા છે.