પુણે પોર્શ અકસ્માત કેસ: આરોપી સામે સગીર રીતે જ કેસ ચાલશે, પોલીસની અરજી ફગાવાઈ

15 July, 2025 03:24 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આ ઘટના કલ્યાણી નગરમાં બની હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કિશોર એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિનો પુત્ર છે અને અકસ્માત સમયે નશામાં હતો. ઘટના પછી, કેસને દબાવવા અને આરોપીને બચાવવા માટે ફોરેન્સિક પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આરોપીના પિતા બિલ્ડર વિશાલ અગ્રવાલની ધરપકડ બાદ પુણે પોલીસ કમિશનરની ઓફિસમાંથી તેને લાવવામાં આવ્યો અને નંબર પ્લેટ વગરની પોર્શ કાર મળી.

મહારાષ્ટ્રના પુણેમાં પોર્શ કાર અકસ્માત કેસમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) એ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બોર્ડે પુણે પોલીસની અરજીને ફગાવી દીધી છે, જેમાં 17 વર્ષના આરોપી યુવાન પર એક સગીર તરીકે નહીં પણ એક પુખ્ત વયના વ્યક્તિ તરીકે કેસ ચલાવવાની માગ કરવામાં આવી હતી. આ નિર્ણયનો અર્થ એવો થાય છે કે આરોપી પર કિશોર ન્યાય પ્રણાલી હેઠળ કેસ ચલાવવામાં આવશે. આ હાઇ-પ્રોફાઇલ કેસ મે 2024 માં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે 19 મેની મોડી રાત્રે, એક ઝડપી પોર્શ કારે બે આઇટી પ્રોફેશનલ, અનીશ અવધિયા અને અશ્વિની કોસ્ટાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બન્નેનું મૃત્યુ થયું હતું. એવો આરોપ છે કે કાર એક સગીર છોકરો ચલાવી રહ્યો હતો અને તે નશામાં હતો. અકસ્માત પછી, પુરાવા સાથે છેડછાડ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી છોકરાને બચાવી શકાય.

આરોપી એક જાણીતા બિલ્ડરનો પુત્ર છે

આ ઘટના કલ્યાણી નગરમાં બની હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કિશોર એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિનો પુત્ર છે અને અકસ્માત સમયે નશામાં હતો. ઘટના પછી, કેસને દબાવવા અને આરોપીને બચાવવા માટે ફોરેન્સિક પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને, એવું બહાર આવ્યું છે કે દારૂ પીવાના પુરાવા નષ્ટ કરી નાખવા માટે આરોપીના બ્લડ સેમ્પલ બદલવામાં આવ્યા હતા.

પિતા અને ડૉકટરો સામે પણ કેસ

આ કેસમાં, માત્ર સગીર જ નહીં, પરંતુ આરોપીના પિતા, સસૂન હૉસ્પિટલના બે ડૉકટરો, હૉસ્પિટલ સ્ટાફ અને કેટલાક વચેટિયાઓ સહિત 10 અન્ય લોકો સામે પણ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. તેમના પર કિશોરના લોહીના નમૂનાને તેની માતાના લોહીથી બદલવાનો આરોપ છે જેથી મેડિકલ રિપોર્ટમાં દારૂની પુષ્ટિ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે આ આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ બાદ JJBએ જ તેને 300 શબ્દોનો નિબંધ લખવાની સજાની શરતે જામીન આપ્યા હતા.

પોલીસની દલીલ ફગાવી

પુણે પોલીસે માગ કરી હતી કે આ ગુનાની ગંભીરતા અને સગીરની માનસિક પરિપક્વતાને ધ્યાનમાં રાખીને, તેને પુખ્ત ગુનેગારની જેમ ટ્રાયલનો સામનો કરવો જોઈએ. પરંતુ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આ દલીલ સ્વીકારી ન હતી અને નિર્ણય લીધો હતો કે આરોપી સામે કિશોર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ હાઇ-પ્રોફાઇલ કેસ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યાં ન્યાય વ્યવસ્થા, પૈસા અને પ્રભાવના દુરુપયોગ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. અગાઉ, પોલીસે કિશોર આરોપી પર હત્યા ન ગણાતા ગુનાહિત હત્યાનો આરોપ મૂક્યો હતો. ઘટના પછી, આરોપીને પહેલા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ જાહેર આક્રોશ પછી, તેને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

pune pune news road accident maharashtra news maharashtra