19 May, 2026 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત ફાઇલ તસવીર
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને સંજય રાઉતે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વડા પ્રધાન હાલમાં વિદેશ પ્રવાસ પર છે, અને આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી મોંઘવારીનો બોજ ભારતની જનતા પર નાખવામાં આવ્યો છે. રાઉતે કહ્યું “મોદીએ તમને કહ્યું છે કે તમારે હવે ગરીબ બનવું પડશે... જોકે, હું ધનવાન છું. તેમણે અમેરિકામાંથી અદાણી સામેના કેસ પાછા ખેંચી લીધા. મોદીએ ખાતરી આપી કે અમેરિકામાં અદાણી સામેના કેસ રદ થશે. આ હાંસલ કરવા માટે કેવા સમાધાન કરવામાં આવ્યા જે ફક્ત તેઓ જ જાણે છે, અને દેશ જાણે છે. છતાં, આ જ દેશમાં, ઘણા લોકો હજી પણ ખોટા આરોપો હેઠળ જેલમાં છે. પરંતુ ગૌતમ અદાણી સામેનો કેસ મોદીએ પાછો ખેંચી લીધો હતો." પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના મુદ્દા પર, સંજય રાઉતે પણ આ પ્રસંગે સીધી પ્રતિક્રિયા આપી અને ‘જય શ્રી રામ!’ ના નારા લગાવ્યા.
વધુમાં, સંજય રાઉતે જણાવ્યું હતું કે "જ્યારે અદાણીને વૈશ્વિક સ્તરે ન્યાય મળી રહ્યો છે, ત્યારે શિવસેનાને સુપ્રીમ કોર્ટમાં ન્યાયનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. મોંઘવારી વધવાની છે, અને તે હજી પણ વધવાની તૈયારીમાં છે. પરિણામે, આ દેશમાં મધ્યમ વર્ગમાં ભયનું વાતાવરણ છે. આ પરિસ્થિતિ આર્થિક અરાજકતા તરફ દોરી જશે, તે સમયે ભારતીય જનતા પાર્ટી દાવો કરશે કે આ મુસ્લિમોને કારણે થઈ રહ્યું છે. બધા કારણો માટે ભાજપ એવો દાવો કરશે કે આ બધુ પાકિસ્તાનને કારણે થઈ રહ્યું છે. ત્યારે આપણા લોકો કપાળ પર તિલક લગાવીને આ મોંઘવારીને આવકારશે અને ફરી એકવાર ભાજપને મત આપશે. લોકો હવે પોતાના કાર્યોના પરિણામો ભોગવી રહ્યા છે. એક સમય હતો જ્યારે મહિલાઓ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શનો કરતી હતી; વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરતા હતા રાસ્તા રોકો કરવામાં આવતા હતા, અને વ્યાપક આંદોલનો કરવામાં આવતા હતા."
"આજના વાતાવરણમાં, મોદી શાસનમાં નાગરિકો દ્વારા આવા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવો એ રાજદ્રોહનું કૃત્ય માનવામાં આવે છે. ખોટા આરોપો, કાયદાના બનાવટી કલમો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવે છે. તમારી પાસે શું વિકલ્પ છે? તમારે કાં તો ખેડૂતોની જેમ ભૂખમરા અને મોંઘવારીના કારમી બોજને કારણે મરી જવું પડશે, અથવા ફક્ત ‘જય શ્રી રામ’ના નારા લગાવી મૌન બેસવું પડશે. ભારતીય જનતા પાર્ટી જમીની વાસ્તવિકતામાં મૂળ ધરાવતી પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એક એવી સરકાર છે જે ગેરકાયદેસર રીતે સત્તામાં આવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી નવી ચૂંટણીઓ યોજવા માટે સંમત થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે લોકો ખરેખર ક્યાં ઊભા છે," એમ તેમણે કહ્યું.