02 March, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિલ દેશમુખ (ફાઇલ તસવીર)
કેન્દ્રીય ઇન્વેસ્ટિગેશન બ્યૂરોને મુંબઈના પૂર્વ શિર્ષ પોલીસ અધિકારી પરમ બીર સિંહ સાથે જોડાયેલા 100 કરોડ રૂપિયાની ખંડણી મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું નિવેદન નોંધવા માટે એક સ્પેશિયલ કૉર્ટમાંથી પરવાનગી મળી ગઈ છે. સીબીઆઇએ તાજેતરમાં જ સ્પેશિયલ કૉર્ટની સામે એક અરજી દાખલ કરી દેશમુખનું નિવેદન નોંધવા પરવાનગી આપવાની રિક્વેસ્ટ કરી હતી.
આર્થર જેલમાં છે અનિલ દેશમુખ
સીબીઆઈને તેમનું નિવેદન નોંધવા માટે આર્થર રોડ જેલનો પ્રવાસ કરવાનો રહેશે. દેશમુખ હાલ તે ત્યાં જ છે. મળતી માહિતી પ્રમાણે સંઘીય તપાસ એજન્સી સતત ત્રણ દિવસ 3 માર્ચ, 4 માર્ચ અને 5 માર્ચના તેમનું નિવેદન નોંધશે. સીબીઆઇ આ મામલે અત્યાર સુધી સાત જણના નિવેદન નોંધી ચૂકી છે. એક સૂત્રએ જણાવ્યું કે જે સાત લોકોના નિવેદન નોંધવામાં આવ્યા, તે પોલીસના હતા. તેમને કહેવાતી રીતે અનિલ દેશમુખની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા.
સિંહે દેશમુખ પર પદ પર ચૂકી જવાનો આરોપ મૂક્યો હતો. તેણે આરોપ મૂક્યો હતો કે દેશમુખ જ તેમને મુંબઈમાં બાર અને રેસ્ટૉરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા ખંડણી માટે મજબૂર કરતા હતા. આ આરોપ તેમણે ત્યારે લગાડ્યો જ્યારે તેમને પોલીસ કમિશનરના પદ પરથી ખસેડી લેવામાં આવ્યો હતો. દેશમુખે પોતાના ઉપર લાગેલા બધા આરોપોનું ખંડન કર્યું છે.
સીબીઆઇએ 21 એપ્રિલ, 2021ના દેશમુખ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી. આ એફઆઇઆરના સિલસિલે છાપેમારી કરવામાં આવી રહી છે.