15 May, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘોડબંદર રોડ પર નવા બાંધવામાં આવેલા ભાઈંદર પાડા ફ્લાયઓવરનું ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકાર્પણ કર્યું હતું. (તસવીર : સતેજ શિંદે)
થાણેના ઘોડબંદર રોડ પર આવેલા ભાઈંદર પાડા પાસેના ફ્લાયઓવરનું ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકાર્પણ કર્યું હતું. આ ઘોડબંદર રોડ પર થાણે, ભિવંડી, નવી મુંબઈ, JNPT તેમ જ બોરીવલી, વસઈ-વિરાર અને ગુજરાત તરફ જવા માટે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. ભાઈંદર પાડાનો ફ્લાયઓવર તૈયાર થઈ જવાથી આ રસ્તામાં થતી ટ્રૅફિકની સમસ્યામાં રાહત મળશે.
૬૦૧ મીટર લાંબા ભાઈંદર પાડા ફ્લાયઓવરની વિશેષતા એ છે કે એ મેટ્રો લાઇનના ૪ અને ૪-એના વાયા ડક્ટમાં બનાવવામાં આવ્યો છે. એટલે કે એક જ જગ્યાનો ઉપયોગ કરીને રસ્તા અને મેટ્રો સાથે સમન્વય કરવામાં આવ્યો છે. આથી ભવિષ્યમાં મેટ્રો સર્વિસ શરૂ થશે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ સરળતાથી મેટ્રોના સ્ટેશન સુધી પહોંચી શકશે.