લોકસભાના સ્પીકરે પક્ષપલટો માન્ય રાખ્યો

19 July, 2026 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેના (UBT) સાથે છેડો ફાડનારા ૬ સંસદસભ્યો હવે સત્તાવાર રીતે શિવસેનાના ગણાશે

ઓમ બિરલા

શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો તેમનું અલગ જૂથ રચીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. જોકે એ સામે શિવસેના (UBT)એ આક્ષેપ લીધો હતો. જોકે હવે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એ ૬ સંસદસભ્યોના અલગ જૂથને માન્યતા આપીને તેમને શિવસેનામાં જોડાવાનું માન્ય રાખતાં હવે એ ૬ સંસદસભ્યો શિવસેના (UBT)ના નહીં પણ શિવસેનાના સંસદસભ્યો ગણાશે. આ ૬ સંસદસભ્યોમાં હિંગોલીના નાગેશ પાટીલ આષ્ટીકર, યવતમાળના સંજય દેશમુખ, પરભણીના સંજય જાધવ, ધારાશિવના ઓમરાજે નિમ્બાળકર, મુંબઈ નૉર્થ ઈસ્ટના સંજય દિના પાટીલ અને શિર્ડીના ભાઉસાહેબ વાક્ચોરેનો સમાવેશ થાય છે. શિવસેનાના સંસદસભ્યોની સંખ્યા હવે ૧૩ થઈ ગઈ છે.

લોકસભાની ઑફિસ ગુમાવશે શિવસેના (UBT)
શિવસેના (UBT)ના ૯ સંસદસભ્યોમાંથી ૨/૩ એટલે ૬ સંસદસભ્યો અલગ જૂથ બનાવીને શિવસેનામાં સામેલ થઈ જતાં હવે લોકસભામાંની શિવસેના (UBT)ની ઑફિસ પણ તેમની પાસેથી આંચકી લેવામાં આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે નિયમ મુજબ લોકસભા અને રાજ્યસભા મળીને એક પક્ષના ઓછામાં ઓછા પાંચ સંસદસભ્યો હોવા જોઈએ. જોકે હવે શિવસેના પાસે માત્ર ૩ સંસદસભ્યો બચ્યા છે. 

mumbai news mumbai political news maharashtra political crisis shiv sena uddhav thackeray Lok Sabha om birla