Mumbai: દહિસર પશ્ચિમમાં લાંબા સમયથી ચાલતા પારિવારિક વિવાદમાં ત્રણના મોત

19 May, 2025 07:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રવિવારે 18 મેના દહિસર પશ્ચિમમાં બે પરિવારો વચ્ચે થયેલા હિંસક વિવાદમાં ત્રણ લોકોના મોત થઈ ગયા અને ચાર અન્ય ઈજાગ્રસ્ત થયા. ઘટના સાંજે લગભગ સાડા ચાર વાગ્યે ગણપત પાટિલ નગરની ગલી નંબર 14 પાસે થઈ.

પ્રતીકાત્મક તસવીર

રવિવારે 18 મેના દહિસર પશ્ચિમમાં બે પરિવારો વચ્ચે થયેલા હિંસક વિવાદમાં ત્રણ લોકોના મોત થઈ ગયા અને ચાર અન્ય ઈજાગ્રસ્ત થયા. ઘટના સાંજે લગભગ સાડા ચાર વાગ્યે ગણપત પાટિલ નગરની ગલી નંબર 14 પાસે થઈ. આમાં સામેલ પરિવાર ગુપ્તા અને શેખ હતા. બન્ને પરિવાર એક જ વિસ્તારમાં રહે છે. પોલીસે જણાવ્યું કે બન્ને વચ્ચે નાની-નાની વાતોને લઈને ઝગડા થતા રહે છે. 2022માં રામ ગુપ્તા અને અમિત શેખે એક-બીજા વિરુદ્ધ મારપીટની ક્રૉસ-ફરિયાદ નોંધાવી હતી.

ધારદાર હથિયારોનો ઉપયોગ
રામ ગુપ્તાના નાળિયેરના દુકાન નજીક વિવાદ થયો. કહેવાતી રીતે શરાબના નશામાં ચકચૂર હામિ શેખે રામ ગુપ્તા સાથે ઝગડો શરૂ કરી દીધો. ટૂંક સમયમાં જ બન્ને પોતાના દીકરાને ઘટનાસ્થળે બોલાવી લીઘા. હામિદ શેખ પોતાના દીકરા અરમાન અને હસન સાથે આવ્યો. રામ ગુપ્તાએ પોતાના દીકરા અમર, અરવિંદ અને અમિતને બોલાવી લીધા. ત્યાર બાદ હિંસક વિવાદ થયો. બન્ને જૂથોએ મારામારી કરી અને ધારદાર હથિયારોનો ઉપયોગ પણ કર્યો.

૫૦ વર્ષીય રામ ગુપ્તા અને તેમના ૨૩ વર્ષીય પુત્ર અરવિંદ ગુપ્તા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ લડાઈમાં ૪૯ વર્ષીય હમીદ શેખ પણ ઘાયલ થયા હતા. ત્રણેયને કાંદિવલી પશ્ચિમની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

અરમાન શેખ, હસન શેખ, અમર ગુપ્તા અને અમિત ગુપ્તા પણ ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એમએચબી પોલીસ સ્ટેશનની પોલીસે જણાવ્યું કે તેઓ ક્રોસ-મર્ડરનો કેસ નોંધી રહ્યા છે. ઇજાઓને કારણે તેમણે મુખ્ય આરોપીની ધરપકડ કરી નથી.

પોલીસે અથડામણમાં વપરાયેલા હથિયારો જપ્ત કર્યા છે. ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી નમૂના એકત્રિત કર્યા છે. અધિકારીઓ હવે સાક્ષીઓના નિવેદનો લઈ રહ્યા છે. પોલીસે પુષ્ટિ આપી છે કે બંને પરિવારો વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા. આ કેસની તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે ગઈ કાલે અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી જેમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એમએચબી પોલીસ-સ્ટેશનના એક અધિકારીના જણાવ્યું હતું કે ‘ગણપત પાટીલનગરમાં રહેતા રામ નવલ ગુપ્તાના નારિયેળના સ્ટૉલ પાસે ગઈ કાલે બપોરે સાડાચાર વાગ્યે હમીદ શેખ દારૂના નશામાં ગયો હતો. રામ ગુપ્તા અને હમીદ શેખ વચ્ચે જૂની અદાવત છે અને તેમણે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. હમીદ શેખે રામ ગુપ્તાને અપશબ્દો કહેતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો આથી બન્નેએ પોતપોતાના પુત્રોને બોલાવ્યા હતા. રામ ગુપ્તાના પુત્રો અમર અને અરવિંદ તેમ જ હમીદ શેખના પુત્રો અરમાન અને હસન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બન્ને પક્ષે જોરદાર મારામારી થવાની સાથે ધારદાર વસ્તુથી હુમલો થયો હતો જેમાં રામ ગુપ્તા અને તેના પુત્ર અરવિંદને ગંભીર ઈજા થતાં તેમનાં મૃત્યુ થયાં હતાં. સામા પક્ષે હમીદ શેખ અને તેના પુત્ર અરમાનને પણ ગંભીર ઈજા થઈ હતી જેમાં હમીદ શેખનું મોત થયું હતું. ધોળે દિવસે સામસામી મારામારી અને હુમલા બાદ ત્રણ જણની હત્યા થવાની ઘટનાથી દહિસરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ત્રણેયના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યા હતા. આ ઘટનામાં ગુપ્તા અને શેખ પરિવારના લોકો સંકળાયેલા હોવાથી તેમની સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે કહ્યું હતું.

Crime News mumbai crime news dahisar mumbai news mumbai