ટ્રાફિકે બદલ્યું સરનામું

18 May, 2022 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૪ મે સુધી કામ ચાલવાનું હોવાથી લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે એવી ભારોભાર શક્યતા છે.

તસવીર સૌજન્ય સમીર માર્કન્ડે

જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર ગાંધીનગર ફ્લાયઓવર પર ચાલી રહેલા કામને લીધે શનિથી સોમવાર સુધી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જૅમ રહ્યા બાદ ગઈ કાલે જેવીએલઆર પર આઇઆઇટી પવઈ સુધી ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો. સોમવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બૅન્ક-હૉલિડે હોવા છતાં જબરદસ્ત ટ્રાફિક રહ્યો હોવાથી ગઈ કાલે ટ્રાફિક પોલીસે હાઇવેને બને ત્યાં સુધી જૅમ થવા નહોતો દીધો. ૨૪ મે સુધી કામ ચાલવાનું હોવાથી લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે એવી ભારોભાર શક્યતા છે.  સમીર માર્કન્ડે

Mumbai mumbai news