જે ન્યાય નારાયણ રાણેને તે નાના પટોલેને કેમ નહીં?: ચંદ્રકાંત પાટીલનો રાજ્ય સરકારને સવાલ

18 January, 2022 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચંદ્રકાંત પાટીલે વધુમાં કહ્યું કે “નાના પટોલે કહે છે કે મોદીને મારીશ, નવાબ મલિક કહે છે કે ફડણવીસને કાશી ઘાટ બતાવીશ. તેથી જાણે છે કે રાજ્યમાં `હમ કરે સો કૈદા`ની સ્થિતિ છે.”

ફાઇલ તસવીર

ભંડારામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના નિવેદનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગંભીતાથી લીધું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ટીકા કરી છે કે નારાયણ રાણેના નિવેદન પર કાર્યવાહી થઈ, પરંતુ નાના પટોલેના નિવેદન પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે કાર્યવાહી રાણે પર કરવામાં આવી તેવી કાર્યવાહી નાના પટોલે વિરુદ્ધ કેમ કરવામાં આવી નથી. એવા સવાલ સાથે તેમણે ટીકા કરી છે કે રાજ્યમાં `હમ કરે સો કૈદા`ની સ્થિતિ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે “રાજ્યમાં પોલીસ દબાણ હેઠળ કામ કરી રહી છે. વડાપ્રધાન વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. તેથી હવે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અને કોર્ટમાં અપીલ કરીશું.”

ચંદ્રકાંત પાટીલે વધુમાં કહ્યું કે “નાના પટોલે કહે છે કે મોદીને મારીશ, નવાબ મલિક કહે છે કે ફડણવીસને કાશી ઘાટ બતાવીશ. તેથી જાણે છે કે રાજ્યમાં `હમ કરે સો કૈદા`ની સ્થિતિ છે.”

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે તેઓ મોદીને મારી શકે છે અને ગાળો પણ આપી શકે છે. તે પછી, તેમણે કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નહીં પણ મોદી વિશે વાત કરી રહ્યો છે જે ભંડારાના ગામડાનો ગુંડો છે. જોકે, ભાજપે ચૂંટણીના તર્જ પર આ મુદ્દાને ગરમ કર્યો છે અને આજે રાજ્યભરમાં નાના પટોલે વિરુદ્ધ આંદોલનો થયા હતા.

ઉલ્લેખનીય છે કે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રવિવારે સાંજે ભંડારા જિલ્લામાં પ્રચાર રેલી દરમિયાન નાના પટોલેએ કહ્યું હતું કે “હું મોદીને મારી શકું છું અને ગાળો પણ આપી શકું છું.” આનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો રાત્રીના સમયનો છે. આ પ્રચાર દરમિયાન નાના પટોલેની આસપાસ ભીડ જોવા મળે છે. નાના પટોલેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને વિવિધ પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. નાના પટોલે સામે ભાજપ આક્રમક બન્યું છે.

mumbai mumbai news bharatiya janata party congress