સેન્ટ્રલ રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવાના કામે ગતિ પકડી

15 February, 2026 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કુર્લા સુધી પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ છેલ્લાં ૧૬ વર્ષથી પેન્ડિંગ છે.

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કુર્લા સુધી પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ છેલ્લાં ૧૬ વર્ષથી પેન્ડિંગ છે. જોકે છેલ્લા થોડા વખતમાં સેન્ટ્રલ રેલવેએ આ સ્ટ્રેચમાં ૫૦૦ જેટલાં બાંધકામ જે આ કામ માટે આડખીલી રૂપે હતાં એ તોડી પાડ્યાં છે એટલે હવે આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. 

લોકલ અને મેલ એક્સપ્રેસ ટ્રેનો અલગ ટ્રૅક પર દોડે તો તેમની સર્વિસ વધારી શકાય એ માટે પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ભૂસંપાદન, રહેવાસીઓના પુનર્વસન, પ્રશાસકીય મંજૂરી અને ફાઇનૅન્સનો અભાવ જોતાં આ પ્રોજેક્ટ રખડી ગયો હતો. આ પ્રોજેક્ટને બે તબક્કામાં કુર્લાથી પરેલ (૧૦.૧૦ મીટર) અને પરેલથી CSMT (૭.૪ કિલોમીટરમાં) વિભાજિત કરી દેવાયો હતો છતાં ભૂસંપાદનમાં બહુ જ ડિલે થતું હોવાથી પ્રોજેક્ટ મંદ ગતિએ ચાલી રહ્યો હતો. 

એ પછી સાયન અને માટુંગા વચ્ચે ૪૯૬ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં એના કારણે ૧૮૮૦ ચોરસ મીટર જગ્યા મળી હતી. બાકીનાં ૨૨૯ બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં વચ્ચે આવતા તાતા કંપનીના હાઈ ટેન્શન કેબલ અને ટાવર ખસેડવામાં આવ્યાં છે.  એ સિવાય હાર્બર લાઇન માટે કુર્લામાં ૧.૩ કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે જેનું લગભગ ૪૫ ટકા જેટલું કામ થઈ ગયું છે.    

mumbai news mumbai central railway indian railways mumbai local train chhatrapati shivaji maharaj terminus csmt kurla matunga