14 February, 2025 07:03 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
કાશી વિશ્વનાથ
શ્રી કાશી વિશ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઑફિસર વિશ્વ ભૂષણ મિશ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે રિનોવેશન પછી મહિનાના હાઇએસ્ટ યાત્રાળુઓ ૧૧ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરીના મહિનામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સમયગાળામાં ૧.૪૦ કરોડ લોકોએ કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં હતાં. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે એટલે ઘણા લોકો સંગમસ્નાન કરતાં પહેલાં કે પછી વારાણસી પણ જાય છે એને લીધે ત્યાં પણ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. હવે ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર પણ કાશીમાં ભક્તોનો માનવમહેરામણ ઊમટશે.
૨.૦૪ કરોડ લોકોએ કર્યું માઘ પૂર્ણિમાનું સંગમસ્નાન કુલ ૪૮.૨૯ કરોડ લોકો મારી ચૂક્યા છે ડૂબકી
ગઈ કાલે મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન કરવા માનવમહેરામણ ઊમટ્યો હતો. એક મહિલાએ પોતાના લાલાને પણ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવડાવી હતી.