મેં પોતે રાજીનામું આપ્યું હતું, ગંભીર આરોપોમાં પદથી ખસેડવાના બિલ પર અમિત શાહ

20 August, 2025 05:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અમિત શાહે પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું કે ગુજરાતમાં હું મંત્રી હતો ત્યારે મારી ઉપર પણ આરોપ લાગ્યા. મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કૉર્ટના આદેશોનું પાલન કર્યું.

અમિત શાહ (ફાઈલ તસવીર)

અમિત શાહે પોતે પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે રાજકારણમાં શુદ્ધિ જાળવી રાખવા માટે આ જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી ભાગી શકીએ નહીં. એટલું જ નહીં તેમણે પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું કે ગુજરાતમાં હું મંત્રી હતો ત્યારે મારી ઉપર પણ આરોપ લાગ્યા. મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કૉર્ટના આદેશોનું પાલન કર્યું.

જો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે પછી કોઈ મંત્રી પર 5 વર્ષથી વધારેની સજાની જોગવાઈવાળા કેસમાં આરોપ લાગે છે તો તેમણે પદ પરથી ખસી જવું જોઈએ. આવી જોગવાઈ વાળા બિલને હોમ મિનિસ્ટર અમિત શાહે લોકસભામાં રજૂ કર્યો છે. આ બિલને લઈને જોરદાર હોબાળો થઈ રહ્યો છે. કૉંગ્રેસ, સપા, આરજેડીના નેતાઓએ આનો વિરોધ કર્યો છે અને કહ્યું કે આ લોકતંત્રની વિરુદ્ધ છે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીએ પણ આનો વિરોધ કર્યો. આ બધા વચ્ચે અમિત શાહે પોતે પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે રાજકારણમાં શુદ્ધતા જાળવી રાખવા માટે આ જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી ભાગી શકતાં નથી.

એટલું જ નહીં, પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા. મેં પદ પરથી રાજીનામું આપ્યું હતું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું હતું. આ પછી, જ્યારે હું આરોપોથી મુક્ત થયો અને બંધારણ હેઠળ આ પદ સંભાળવાનો અધિકાર મળ્યો ત્યારે જ મેં ફરીથી જવાબદારી સંભાળી. એટલું જ નહીં, અમિત શાહે કહ્યું કે આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે અને રાજકારણમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે. જ્યારે ઘણા વિપક્ષી સાંસદોએ કહ્યું કે આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે, ત્યારે અમિત શાહ ચર્ચાની વચ્ચે ઉભા થયા અને કહ્યું કે જો આવું છે તો હું તમને કહી દઉં કે આ બિલ સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.

મમતાએ કહ્યું - સુપર ઇમરજન્સી, વિપક્ષી સાંસદોએ બિલ ફાડી નાખ્યું
આ દરમિયાન, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) પણ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આવા બિલનો ઉપયોગ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે થઈ શકે છે. મમતા બેનર્જીએ કહ્યું કે આવા બિલથી દેશમાં લોકશાહી કાયમ માટે ખતમ થઈ જશે અને આ સુપર ઇમરજન્સી તરફનું એક મોટું પગલું છે. આ સમય દરમિયાન, લોકસભામાં કેટલાક વિપક્ષી સાંસદોએ બિલની નકલ ફાડી હોવાના સમાચાર પણ છે, પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી કે કયા સાંસદોએ આવું કર્યું. હાલમાં, લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

Lok Sabha amit shah home ministry national news parliament new delhi mamata banerjee gujarat news gujarat