27 October, 2021 09:10 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
સોમવારે રાત્રે પુલવામા પાસેના સીઆરપીએફ કૅમ્પમાં અમિત શાહ
ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ૪૦ સીઆરપીએફના જવાનોને ગઈ કાલે હોમ મિનિસ્ટર અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહ સોમવારે જ દિલ્હી પાછા ફરવાના હતા પરંતુ તેઓ પુલવામામાં આવેલા લેથપોરા સીઆરપીએફ કૅમ્પમાં રાત્રે રોકાયા હતા, તેમણે જવાનો સાથે ભોજન પણ કર્યું હતું. દરમ્યાન સાંબી જિલ્લામાં ટી૨૦ મૅચમાં પાકિસ્તાનની જીત બાદ વિજયોત્સવ મનાવવા બદલ જમ્મુ -કાશ્મીર પોલીસે ગઈ કાલે છ લોકોની અટક કરી હતી. એમનો વિડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.