28 November, 2025 09:09 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
હિમંતા બિસ્વા સરમા
આસામ વિધાનસભામાં ગઈ કાલે આસામ પ્રોહિબિશન ઑફ પોલિગામી બિલ, ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું હતું. એના પર વિસ્તૃત ચર્ચા પછી ખરડો પાસ થઈ ગયો હતો. આ બિલ છઠ્ઠા શેડ્યુલ ક્ષેત્રો અને શેડ્યુલ ટ્રાઇબ વર્ગ પર લાગુ નહીં પડે. આ બિલ અનુસાર એક કાનૂની લગ્નમાંથી છૂટા થયા પહેલાં બીજાં લગ્ન કરવાનો અપરાધ હશે. એની ૭ વર્ષની કેદ સુધીની સજા છે. પહેલાં લગ્ન છુપાવીને બીજાં લગ્ન કરવા પર ૧૦ વર્ષ સુધીની સજા થશે. આ ગુનો જેટલી પણ વાર દોહરાવવામાં આવશે એટલી વાર બમણી સજા થતી રહેશે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે ‘બહુવિવાહ પર પ્રતિબંધ એ મહિલાઓને સશક્ત કરવાની દિશાનું મહત્ત્વનું પગલું છે. હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ તમામ ધર્મના લોકો માટે આ કાયદો સમાન રહેશે.’
એકથી વધુ લગ્ન કરનાર જ નહીં, કરાવનારને પણ સજા થશે.