02 April, 2026 02:10 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
મૃતદેહોને મંગળવારે મોડી રાત્રે એક ખાસ ફ્લાઇટમાં કોચી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા
કુવૈતમાં અલગ-અલગ ઘટનાઓમાં જીવ ગુમાવનારા ૨૦ લોકોના મૃતદેહોને મંગળવારે મોડી રાત્રે એક ખાસ ફ્લાઇટમાં કોચી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. કુવૈત ઍરવેઝની ખાસ ફ્લાઇટમાં મૃતદેહો કોલંબો થઈને કોચી લાવવામાં આવ્યા હતા. ફ્લાઇટમાં કોઈ મુસાફરો નહોતા. મૃત્યુ પામેલા લોકોમાં તામિલનાડુના રામનાથપુરમના ૩૭ વર્ષના સંથાનસેલ્વમ કૃષ્ણનનો સમાવેશ થાય છે, જેમણે કુવૈતમાં પાણીના પ્લાન્ટ પર ડ્રોન હુમલામાં જીવ ગુમાવ્યો હતો.
આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમન પછી તરત જ મૃતદેહોને તેમના સંબંધિત વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકો કોઝીકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ સહિત કેરલમના વિવિધ ભાગોના છે, જ્યારે કેટલાક મૃતદેહોને તામિલનાડુનાં વિવિધ સ્થળોએ લઈ જવામાં આવશે.
અલગ-અલગ ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહોને સ્વદેશ મોકલવામાં વિલંબ વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે થયો હતો.