ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીનાં કપાટ ખૂલ્યાં

20 April, 2026 07:21 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની થઈ, અત્યાર સુધીમાં ૧૮ લાખ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગઈ કાલે યમુનોત્રી ધામ ખૂલે એ પહેલાં જ ભાવિકોની જબરી ભીડ જમા થઈ હતી.

ઉત્તરાખંડમાં ગઈ કાલે ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ હતી. ગંગોત્રીમાં બપોરે ૧૨.૧૫ વાગ્યે અને યમુનોત્રીમાં ૧૨.૩૫ વાગ્યે કપાટ ખોલવામાં આવ્યાં હતાં. ગંગોત્રીમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની થઈ હતી. એમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ભાગ લીધો હતો. પૂજા પૂરી થયા પછી શ્રદ્ધાળુઓનાં દર્શન શરૂ થયાં હતાં.

ગઈ કાલે બાબા કેદારનાથની ડોલી પણ શીતકાળના સ્થળ ઓમકારેશ્વર મંદિરથી નીકળીને ફાટા તરફ જવા રવાના થઈ ગઈ હતી. બાબાની પંચમુખી ડોલી ૨૧ એપ્રિલે કેદારનાથ પહોંચશે અને બાવીસમી એપ્રિલથી કેદારનાથનાં કપાટ પણ ખૂલશે. 

ગઈ કાલે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૧૮ લાખથી વધુ લોકોએ ચારધામ યાત્રા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

national news india uttarakhand char dham yatra religious places