16 October, 2025 12:47 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વાંદરાઓનો આતંક ખૂબ છે. ઊભાં ખેતરોમાં પાકને વીંખી નાખીને વાંદરાઓ ખેડૂતોને બહુ નુકસાન પહોંચાડે છે. પંખીઓ અનાજ ચણી ન જાય એ માટે ચાડિયા બનાવવામાં આવતા હતા, પણ બંદરોને ચાડિયાનો કોઈ ડર નથી લાગતો એટલે ખેડૂતે વાંદરાઓ દૂર રહે એ માટે ઊભા પાકની રખેવાળી કરવા માટે રીંછ જેવો ડ્રેસ પહેરીને પહેરો લગાવવાનું શરૂ કર્યું છે. ખેડૂતભાઈ કહે છે કે રીંછ જેવા કૉસ્ચ્યુમમાં ખૂબ જ ગરમી લાગે છે, પરંતુ પાક બચાવવા ગરમીમાં આવું કરવું જ પડે છે.