04 February, 2025 07:00 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
અમૃત સ્નાન કરતા સાધુ-સંતો અને ભક્તો પર હેલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મહાકુંભમાં ગઈ કાલે છેલ્લું અમૃત સ્નાન હતું. હવે ૧૨ ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા નિમિત્તે અને ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ નિમિત્તે પર્વ સ્નાન થશે. ૧૩ જાન્યુઆરીએ મહાકુંભ શરૂ થયો ત્યારે પોષ પૂર્ણિમા નિમિત્તે પર્વ સ્નાન હતું અને પછી ૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાન્તિ અને ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે અમૃત સ્નાન થયાં હતાં.