17 May, 2026 07:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચાંદીની આયાત પર લગામ તાણવા માટે સરકારે ગઈ કાલે મોટો નિર્ણય લીધો હતો. સરકારે ચાંદીની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં રાખવાનો નિર્ણય કર્યો છે. આ શ્રેણી લાગુ પડવાથી આ ચીજો આયાત કરવા માટે સરકારી લાઇસન્સની જરૂર પડે છે.
અત્યાર સુધી ચાંદીની આયાત ફ્રી શ્રેણીમાં હતી, પરંતુ સરકારે આ પગલું દેશમાં વધી રહેલી ચાંદીની આયાત પર નિયંત્રણ લાવીને કીમતી ધાતુઓની આયાત પર કડક જાપ્તો રાખવાના હેતુથી લીધું છે. સરકારે ૧૩ મેએ કીમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટડ્યુટી છ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી. આ સાથે સરકારે સોનાની ઇમ્પોર્ટ પર ૧૦૦ કિલોની મર્યાદા નક્કી કરી છે. જો કોઈ વ્યક્તિ પહેલી વાર લાઇસન્સ માટેની અરજી કરશે તો તેના પ્રોડક્શન યુનિટનું ફિઝિકલ નિરીક્ષણ કરવામાં આવશે. આ યુનિટનું અસ્તિત્વ, એની ક્ષમતા અને એની રનિંગ કન્ડિશન જોયા પછી જ સોનાની ઇમ્પોર્ટ માટેનું લાઇસન્સ મળશે.