૪૦ વર્ષ જૂનાં કાટ લાગેલાં ટૅન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે એ પણ એટલું જ જોખમી

04 January, 2026 09:51 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

દૂષિત પાણીથી ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં હજી ઇન્દોર નગરપાલિકા જાગતી નથી

કાટ લાગેલા ટૅન્કરનું પાણી પીવાથી બીજી સમસ્યાઓ શરૂ થઈ શકે છે

ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણીને કારણે ૧૫ લોકોના જીવ ગયા છે એને કારણે જે લોકોને પરવડે છે તેઓ મિનરલ વૉટર કે બૉટલ્ડ વૉટર વાપરવા લાગ્યા છે. જોકે સરકારે પણ કેટલાક વિસ્તારોમાં ટૅન્કર દ્વારા સારું પાણી પહોંચાડવાની પહેલ કરી છે. અલબત્ત, આ રસ્તો પણ સેફ નથી, કેમ કે જે ટૅન્કરોમાં પાણી પહોંચાડાઈ રહ્યું છે એમાંથી ઘણાં ટૅન્કરો ૪૦ વર્ષથી વધુ જૂનાં છે અને લાંબા સમયથી સાફ ન થયાં હોવાથી કાટ લાગી ગયો છે. ટૅન્કરોની અંદર પણ ગંદકી અને કીચડની પરત જામેલી હોવાનું જોવા મળ્યું છે.

એવામાં ઇન્દોરવાસીઓ શુદ્ધ પાણી માટે ટળવળી રહ્યા છે. ટૅન્કરોનું પાણી તો શુદ્ધ હશે જ એમ માનીને એને ડાયરેક્ટ પીવાના ઉપયોગમાં લેવાનું જોખમી જ છે એવું સ્થાનિક ડૉક્ટરોનું કહેવું છે. કાટ લાગેલા ટૅન્કરનું પાણી પીવાથી બીજી સમસ્યાઓ શરૂ થઈ શકે છે એવી ભીતિ સ્થાનિક ડૉક્ટરોએ જતાવી હતી. 

national news india indore indian government healthy living