16 June, 2025 06:56 AM IST | Uttarakhand | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Kedarnath Helicopter Crash: તાજેતરમાં જ અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાનના ભયંકર ખરાબ રીતે ક્રેશ થયાની દુર્ઘટના બની હતી. હવે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગૌરીકુંડ પાસે કેદારનાથ રુટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિમાનમાં છ લોકો સવાર હતા અને તેમાંથી પાંચના મોત થયા હોવાની પણ મઅહિતી મળી છે. હાલમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ હેલિકોપ્ટર આર્યન એવીએશન નામની કંપનીનું હતું. અને આ હેલિકોપ્ટર કેદારનાથથી મુસાફરો સાથે પરત ફરી રહ્યું હતું.
ઉત્તરાખંડના એડીજી કાયદા અને વ્યવસ્થા ડૉ. વી. મુરુગેસને જણાવ્યું હતું કે ગૌરીકુંડમાં ગુમ થયેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. વિમાનમાં છ લોકો સવાર હતા. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
દુર્ઘટના (Kedarnath Helicopter Crash)માં એક જયસ્વાલ પરિવાર પણ હતો. જેમાં એક દંપતી અને તેમના 23 મહિનાના બાળકનો સમાવેશ થાય છે, તે મૂળ મહારાષ્ટ્રના હોવાનું કહેવાય છે. બે લોકો સ્થાનિક છે, વિનોદ નેગી અને વિક્રમ સિંહ રાવત. વિક્રમ સિંહ રાવત બીકેટીસીના કર્મચારી હોવાની મઅહિતી મળી રહી છે.
ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA)એ એક નિવેદનમાં કહ્યું, "આજે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ ધામથી ગુપ્તકાશી જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત છ મુસાફરો હતા. જેમાંથી 5 પ્રૌઢ અને 1 બાળક મુસાફરી કરી રહ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. હાલમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.
હેલિકોપ્ટર (Kedarnath Helicopter Crash)માં સવાર મુસાફરોના નામ પણ સામે આવ્યાં છે. પાયલટ રાજવીર, વિક્રમ રાવત, વિનોદ, તૃષ્ટિ સિંહ, રાજકુમાર, શ્રદ્ધા, રાશી જે ૧૦ વર્ષની બાળકી છે. હાલમાં બચાવ ટીમોને દુર્ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ દુર્ઘટના મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક્સ પર માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે, `રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનાના અત્યંત દુઃખદ સમાચાર મળી રહ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે. બાબા કેદારના તમામ મુસાફરો સુરક્ષિત રહે તેવી જ પ્રાર્થના"
હજી તો અમદાવાદની મેડિકલ હોસ્ટેલમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાની કરુણાંતિકાનાં આંસુ પણ ઓછા થયા નથી. કે જેમાં 270 લોકોના મોત થયા. .બોઇંગ 787-8 (AI171)માં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી એક અને જમીન પર પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓ સહિત અન્ય 29 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે વિમાન ગુરુવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ નીચે આવીને ક્રેશ થયું હતું. હવે જ્યારે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર (Kedarnath Helicopter Crash)ની દુર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી મળી છે તે દુઃખમાં વધારો કરનારી છે.