જમ્મુ કાશ્મીર: જાતિ-ધર્મ પૂછીને આતંકવાદીઓએ બે મજૂરોની હત્યા કરી હોવાનો દાવો

01 August, 2026 04:49 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

દીપક રાત્રે તેની પત્ની સાથે લગભગ સાત-આઠ મહિના પહેલા કામની શોધમાં જમ્મુ અને કાશ્મીર ગયો હતો. તે તેના પરિવારનો એકમાત્ર કમાનાર હતો. તેમના પરિવારમાં તેમની વૃદ્ધ માતા, શારીરિક રીતે અપંગ એક નાનો ભાઈ, તેમની પત્ની અને ચાર મહિનાનો પુત્ર સામેલ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં છત્તીસગઢના બે મજૂરોના મોત થયા છે. મૃતકોની ઓળખ શક્તિ જિલ્લાના બુંદેલી ગામના રહેવાસી દીપક રાત્રે (24) અને સરનગઢ-બિલાઈગઢ જિલ્લાના ભૂપેન્દ્ર ભૈના (28) તરીકે થઈ છે. બન્ને કુલગામમાં એક ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા હતા. આ હુમલો શુક્રવારે રાત્રે થયો હતો.

પહેલા ઓળખ પૂછવામાં આવી હોવાનો પરિવારનો દાવો

સમાચાર એજન્સી ANI અનુસાર, દીપક રાત્રેના કાકા હલધર રાત્રેએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ ગોળીબાર કરતા પહેલા મજૂરોને તેમની ઓળખ અને ધર્મ વિશે પૂછ્યું હતું. તેમણે કહ્યું, "અમે જે સાંભળ્યું તેના પરથી, આતંકવાદીઓએ તેની જાતિ અને સમુદાય વિશે પૂછ્યા પછી તેને ગોળી મારી દીધી. આતંકવાદીઓના આ કૃત્યને જુઓ; તેઓએ એક મજૂરને તેમનો ધર્મ-જાતિ પૂછ્યા પછી ગોળી મારી દીધી." જોકે, અધિકારીઓએ હજી સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

કામની શોધમાં કાશ્મીર ગયો હતો

દીપક રાત્રે તેની પત્ની સાથે લગભગ સાત-આઠ મહિના પહેલા કામની શોધમાં જમ્મુ અને કાશ્મીર ગયો હતો. તે તેના પરિવારનો એકમાત્ર કમાનાર હતો. તેમના પરિવારમાં તેમની વૃદ્ધ માતા, શારીરિક રીતે અપંગ એક નાનો ભાઈ, તેમની પત્ની અને ચાર મહિનાનો પુત્ર સામેલ છે. ભૂપેન્દ્ર ભાઈના પણ લગભગ ત્રણ મહિના પહેલા તેમની પત્ની સાથે કાશ્મીર આવ્યા હતા. તેમનો ચાર વર્ષનો પુત્ર છત્તીસગઢમાં સંબંધીઓ સાથે રહે છે.

ખડગે આ હુમલાની નિંદા કરી

કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શનિવાર, 1 ઑગસ્ટ, 2026 ના રોજ થયેલા હુમલાની નિંદા કરી હતી. X પર પોસ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ મજૂરોને નિશાન બનાવતા પહેલા તેમની ઓળખ ચકાસી હતી. તેમણે લખ્યું, "જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં થયેલ કાયર આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય છે. તે માનવતા માટે શરમજનક છે. બે નિર્દોષ મજૂરોની ઓળખ કર્યા પછી તેમની નિર્દયતાથી હત્યા કરવી એ આતંકવાદની ક્રૂર માનસિકતાનું જઘન્ય ઉદાહરણ છે. આ માટે ગમે તેટલી નિંદા પૂરતી નથી." ખડગેએ વધુમાં કહ્યું, "હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ગુનેગારો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જોઈએ; તેમને કાયદા હેઠળ કડકમાં કડક સજા મળવી જોઈએ."

સરકારે સહાયની જાહેરાત કરી

શક્તિના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પ્રક્ષાને અસરગ્રસ્ત પરિવારો સાથે સતત સંપર્કમાં છે અને મૃતદેહોને ગામમાં પાછા લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે કામ કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બન્ને મૃતકોના પરિવારોને રૂ. 10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. દરમિયાન, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને અધિકારીઓને મૃતદેહોને વહેલા પરત કરવા માટે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે સંકલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

terror attack jammu and kashmir omar abdullah srinagar mallikarjun kharge national news