Lakhimpur Violence: લખીમપુર કાંડના આરોપી આશીષ મિશ્રાને ડેન્ગૂ

24 October, 2021 01:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ડેન્ગૂનો રિપૉર્ટ પૉઝિટીવ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશન કમિટીએ પોલીસ કસ્ટડી રિમાન્ડમાંથી આશીષ મિશ્રાને પાછા જેલ મોકલવામાં આવ્યા છે. આશીષ મિશ્રા લખીમપુર જેલમાં બંધ છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

Lakhimpur Violence: ડેન્ગૂનો રિપૉર્ટ પૉઝિટીવ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશન કમિટીએ પોલીસ કસ્ટડી રિમાન્ડમાંથી આશીષ મિશ્રાને પાછા જેલ મોકલવામાં આવ્યા છે. આશીષ મિશ્રા લખીમપુર જેલમાં બંધ છે.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતને કચડી નાખવાના મુખ્ય આરોપી અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ દીકરા આશીષ મિશ્રાને ડેન્ગૂ થઈ ગયો છે. ડેંગૂનો રિપૉર્ટ પૉઝિટીવ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશન કમિટીએ પોલીસ કસ્ટડી રિમાન્ડમાંથી આશીષ મિશ્રાને પાછા જેલ મોકલવામાં આવ્યા છે. આશીષ મિશ્રા લખીમપુર જેલમાં બંધ છે.

9 ઑક્ટોબરના ધરપકડ થઈ હતી આશીષ મિશ્રાની
જિલ્લા કૉર્ટે મુખ્ય આરોપી આશીષ મિશ્રા ઉર્ફે મોનૂ સહિત ચાર આરોપીઓની શુક્રવારે પોલીસ અચકમાં મોકલી દીધા હતા. બધાની ધરપકડ આજે સાંજે 5 વાગ્યે ખતમ થશે. આશીષને છેલ્લે 9 ઑક્ટોબરના ધરપકડ કરવામાં આવી હતી. લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા વિસ્તારમાં ત્રણ ઑક્ટોબરના થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠના નિધન થયા હતા. આ મામલે અત્યાર સુધી કેન્દ્રીય મંત્રીના દીકરા આશીષ સહિત 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આશીષ મિશ્રા પર ખેડૂતોને કચડી નાખવાનો આરોપ
નોંધનીય છે કે ખેડૂતોન એક સમૂહ યૂપી પ્રદેશના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની યાત્રા વિરુદ્ધ ત્રણ ઑક્ટોબરના પ્રદર્શન કરી રહ્યો હતો, ત્યારે લખીમપુર ખીરીમાં એક એસયૂવી (કાર) ચાર ખેડૂતોને કચડી દેવામાં આવ્યા. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ બીજેપીના 2 કાર્યકર્તાઓ અને એક ડ્રાઇવરની કહેવાતી રીતે મારી-મારીને હત્યા કરી દેવામાં આવી, જ્યારે હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ નિધન થઈ ગયું છે. ખેડૂતોનો આરોપ છે કે પ્રદર્શનકારી ખેડૂતો પર આશીષ મિશ્રાએ ગાડી ચડાવી દીધી હતી.

national news