"અધિકારીએ મારા ગુપ્તાંગ પર હુમલાનો પ્રયાસ...": વિરોધ પ્રદર્શનની એક યુવતીના આરોપો

05 August, 2026 08:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મુસ્કાન શર્માએ આરોપ લગાવ્યો કે લાઠીચાર્જ દરમિયાન પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું, "લાઠીચાર્જ દરમિયાન કોઈ પણ વ્યક્તિ જાંઘ ઉપર હુમલો કરી શકતી નથી. પુરુષ અધિકારી મહિલા વિરોધીઓને મારી શકતો નથી; આના વિરુદ્ધ નિયમો છે."

રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી (તસવીર: એજન્સી)

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રેસ કૉન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં CJPના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા યુવાનો પર અમાનવીય ક્રૂરતા દાખવી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પોલીસે પ્રદર્શનકારીઓ પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો અને તેમને રોકવા માટે પૅલેટ ગનનો પણ ઉપયોગ કર્યો.

પ્રેસ કૉન્ફરન્સમાં ઘાયલ વિદ્યાર્થીઓ આવી

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન, રાહુલ ગાંધીએ ઘણા વિદ્યાર્થીઓને સામેલ કર્યા હતા કર્યા જેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા હતા. આ વિદ્યાર્થીઓએ તેઓએ સામનો કરેલી ઘટનાઓનું વર્ણન કર્યું અને વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું તેનું વર્ણન કર્યું. આ વચ્ચે, મુસ્કાન શર્મા નામની એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે બનેલી ઘટના શૅર કરી. તેણે કહ્યું, "મારું નામ મુસ્કાન છે. હું દિલ્હીના જંતર-મંતર પર શાંતિથી વિરોધ કરી રહેલા લોકોમાંની એક હતી. જ્યારે હું શાંતિથી ચાલી રહી હતી ત્યારે પોલીસે મને કેમ મારી? RAF અધિકારીએ મારા પર લાઠીચાર્જ કેમ કર્યો?"

"એક પુરુષ અધિકારીએ મારા ગુપ્તાંગ પર મારવાનો પ્રયાસ કર્યો"

મુસ્કાન શર્માએ આરોપ લગાવ્યો કે લાઠીચાર્જ દરમિયાન પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું, "લાઠીચાર્જ દરમિયાન કોઈ પણ વ્યક્તિ જાંઘ ઉપર હુમલો કરી શકતી નથી. પુરુષ અધિકારી મહિલા વિરોધીઓને મારી શકતો નથી; આના વિરુદ્ધ નિયમો છે. આમ છતાં, એક પુરુષ RAF અધિકારીએ મારા ગુપ્તાંગ પર મારવાનો પ્રયાસ કર્યો." તેણે ઉમેર્યું, "જો આ કરનાર અધિકારી - અને જેણે તેને આમ કરવાનો આદેશ આપ્યો હતો - આગળ આવે અને મારી પાસે માફી માગે તો મને સંતોષ થશે."

"લોકો માને છે કે હું મુસ્લિમ છું કારણ કે મારું નામ મુસ્કાન છે"

મુસ્કાન શર્માએ પણ પોતાની ઓળખ વિશે વાત કરી. તેણે કહ્યું, "મારી અટક શર્મા છે. મારું નામ મુસ્કાન છે, તેથી દરેક વ્યક્તિ માની લે છે કે હું મુસ્લિમ છું. તેથી જ મને વધુ દુર્વ્યવહારનો ભોગ બનવું પડી રહ્યું છે." તેણે ટિપ્પણી કરી, "જેમ જેમ કોઈ સરકાર વિરુદ્ધ બોલે છે, તેમ તેમ એક વાર્તા બનાવવામાં આવે છે કે તે વ્યક્તિ મુસ્લિમ છે. જો કોઈ વ્યક્તિ મુસ્લિમ છે, તો શું તેનો અર્થ એ છે કે તેને દેશદ્રોહી તરીકે લેબલ કરી શકાય છે?" આ અંગે પ્રશ્ન ઉઠાવતા, મુસ્કાન શર્માએ કહ્યું કે આ માનસિકતાને કારણે જ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ સામેના કેસ પાછા ખેંચવા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી

એક અરજદારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આંદોલન કરનાર વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા ફોજદારી કેસ ફક્ત રાજકીય નિર્ણયો અથવા સમાધાનના આધારે પાછા ખેંચવા જોઈએ નહીં, કારણ કે આ ભવિષ્યના આંદોલનો માટે ખોટી મિસાલ સ્થાપિત કરશે. 

rahul gandhi cockroach janata party jantar mantar new delhi social media narendra modi indian government delhi police