અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે : અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો

01 April, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નિર્ણયથી સમાજમાં એક નવો દૃષ્ટિકોણ અને સમજણ જાગશે એવી અપેક્ષા છે

પ્રતીકાત્મક તસવીર

અલાહાબાદ હાઈ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ ધર્મોના લોકો લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે એ યુગલોને તેમના ધર્મના આધારે નહીં, પરંતુ બે પુખ્ત વ્યક્તિઓ તરીકે જુએ છે. બંધારણ આવાં યુગલોનું રક્ષણ કરે છે, તેમને તેમના જીવનસાથી સાથે રહેવાનો અધિકાર આપે છે.

આ નિર્ણય સામાજિક અને ધાર્મિક ભેદભાવનો સામનો કરતાં આંતરધાર્મિક યુગલો માટે મોટી રાહત છે. આ એવા પરિવારો માટે પણ મહત્ત્વપૂર્ણ છે જેમને તેમનાં બાળકોના લગ્નજીવનમાં આવા 
સંબંધો સ્વીકારવામાં મુશ્કેલી પડે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં બન્ને વ્યક્તિઓની સ્વતંત્રતા અને પસંદગીનો સંપૂર્ણ આદર કરવો જોઈએ. કોઈ પણ યુગલ સાથે તેમના ધર્મના આધારે ભેદભાવ કરી શકાતો નથી. 

આ નિર્ણયથી સમાજમાં એક નવો દૃષ્ટિકોણ અને સમજણ જાગશે એવી અપેક્ષા છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આંતરધાર્મિક લગ્નો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો ઉકેલ આવા લિવ-ઇન સંબંધો દ્વારા લાવી શકાય છે. આનાથી એવાં યુગલોને પણ હિંમત મળશે જેઓ સામાજિક કલંકના ડરથી પોતાની પસંદગી વ્યક્ત કરવામાં અચકાતાં હોય છે.

national news india allahabad sex and relationships