વડા પ્રધાન ચિકન નથી ખાતા, એમ કહીં કેટરસનું બિલ PMOએ રિજેક્ટ કર્યું, જાણો કિસ્સો

02 June, 2025 06:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પોતાના ટ્રેનીંગના દિવસો દરમિયાન તેઓ સિટી મેજિસ્ટ્રેટ અને DSP સાથે રેલવે સ્ટેશન નજીક એક રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયા હતા. આ દરમિયાન એક માણસ હાથ જોડીને, માથું નમાવીને તેમની સામે ઉભો થઈ ગયો હતો, અને તે હતાશ દેખાઈ રહ્યો હતો.

PMO (તસવીર: X)

વડા પ્રધાન ઑફિસ (PMO) અંગે એક ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડાયરેક્ટ જનરલ ઑફ પોલીસ ઓ પી સિંહ (O P Singh) દ્વારા હાલમાં તેમની 37 વર્ષની કારકિર્દીને જણાવતી ‘થ્રુ માય આઇઝ: સ્કેચેસ ફ્રૉમ અ કૉપ્સ નોટબુક’ (Through My Eyes: Sketches from A Cop’s Notebook) નામની બૂક બહાર પાડી છે. આ પુસ્તકમાં તેમણે અનેક ખૂલસાઓ કર્યા છે, પુસ્તકમાં તેમણે વડા પ્રધાન ઓફીસ (PMO) અને ભોજનમાં ‘ચીકન’ સાથે જોડાયેલી એક રસપ્રદ અને વિચિત્ર કિસ્સો શૅર કર્યો છે. તેમની  આ વાત તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઓ પી સિંહે તેમની પુસ્તકમાં જણાવ્યું છે કે વર્ષ 1985માં મુરાદાબાદ જિલ્લામાં જ્યારે તેઓ તાલીમ હેઠળ હતાં તે દરમિયાનના એક દિવસનો આ કિસ્સો છે. પોતાના ટ્રેનીંગના દિવસો દરમિયાન તેઓ સિટી મેજિસ્ટ્રેટ અને DSP સાથે રેલવે સ્ટેશન નજીક એક રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયા હતા. આ દરમિયાન એક માણસ હાથ જોડીને, માથું નમાવીને તેમની સામે ઉભો થઈ ગયો હતો, અને તે હતાશ દેખાઈ રહ્યો હતો.

આ પુસ્તકમાં જણાવ્યા મુજબ શહેરના મેજિસ્ટ્રેટે આ માણસને ત્યાંથી જવા કહ્યું, પણ ઓ પી સિંહને આ માણસની સમસ્યા બાબતે જાણવાની ઈચ્છા જાગી. પૂછપરછ બાદ સિંહને જાણવા મળ્યું કે તે માણસ કેટરસનું વ્યવસાય કરતો હતો. તે સમયે ચૌધરી ચરણ સિંહ દેશના વડા પ્રધાન હતાં. આ દરમિયાન તેઓ મુરાદાબાદની મુલાકાતે આવ્યા હતાં. તેમની મુલાકાત વખતે વડા પ્રધાનના પ્રવાસ માટે ભોજન પૂરું પાડવાનું કામ તેને આપવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન ભોજન બનાવ્યું પણ પૈસા ન મળ્યા

વડા પ્રધાન માટે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ભવ્ય વ્યવસ્થાના ભાગ રૂપે, કેટરરે અનેક અધિકારીઓ, મહેમાનો અને કર્મચારીઓ માટે ભોજન તૈયાર કર્યું અને પીરસ્યું. વડા પ્રધાન સિંહની મુલાકાત પછી તેણે 7,000 રૂપિયાનું રજૂ કર્યું હતું, પણ આ સામાન્ય રકમનું બીલ પાસ કરાવવા માટે તેણે વર્ષો સુધી સરકારી ઑફિસોના ધક્કા ખાવા પડ્યા છતાં તે બીલ પાસ થયું જ નહીં. અનેક પ્રયાસો છતાં તેણે નુકસાન સહન કરવું પડ્યું. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કારણ માત્ર એટલું જ અધિકારીઓને પીરસવામાં આવેલી વાનગીઓમાં ‘ચિકન’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

કિસ્સામાં આગળ લખવામાં આવ્યું છે કે “બીલ પાસ કરાવવા કેટરરને પ્રશાસનની મોટી બેદરકારીનો સામનો કરવો પડ્યો. એક ફાઈલથી બીજી ફાઇલ, એક ડેસ્ક પરથી બીજા ડેસ્ક પર, ગરીબ કેટરરનું પેન્ડિંગ બિલ દૂર દૂર સુધી ફરતું રહ્યું, સહીઓ, પ્રશ્નો, વાંધા અને આખરે બીલ પર ધૂળ લાગી ગઈ. અનેક વર્ષો વીતી ગયા અને બિલ છેલ્લે વડા પ્રધાન કાર્યાલય (PMO) માં પહોંચ્યું, જ્યાં આ બીલ પર અંતિમ મહોરની લાગવાની હતી.

તંત્ર આ રીતે પૈસા ખાઈ ગયું

વડા પ્રધાન કાર્યાલય તરફથી આ બિલ માટે આંટી અંતિમ આદેશ આપવામ આવ્યો કે “પીએમ ચિકન નથી ખાતા, જેથી આ બીલનું પેમેન્ટ નકારવામાં આવે છે.” આ કિસ્સા અંગે ઓ પી સિંહે પુસ્તકમાં લખ્યું, “પૈસા ખવાઈ ગયા- જમનારાઓ દ્વારા નહીં, પરંતુ સિસ્ટમ દ્વારા”. ઓ પી સિંહે આ કિસ્સાને “બ્યુરોક્રેસીની વિચિત્ર પ્રક્રિયાનનું એક માસ્ટરક્લાસનું ઉદાહરણ” ગણાવ્યું.

indian government new delhi india national news uttar pradesh