17 April, 2024 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રામનવમીએ રામલલાનાં દર્શન કરવા માટે મુંબઈથી અયોધ્યા જવા માટેની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગઈ કાલે ફ્લાઇટના ભાવ વન-વેના ૨૧,૦૦૦ રૂપિયા હતા. આજના આ ભાવ પણ ૧૮,૦૦૦થી ૨૧,૦૦૦ રૂપિયા છે. ૨૧ એપ્રિલ સુધીની ટિકિટો ૯૮૦૦થી ૧૦,૫૦૦ રૂપિયામાં મળી રહી છે. જોકે અયોધ્યાથી રિટર્ન જર્નીની ટિકિટનો ભાવ સાડાપાંચ હજારની આસપાસ ચાલી રહ્યો છે. સામાન્ય દિવસોમાં આ ભાવ ૫૦૦૦ રૂપિયા જેટલો હોય છે. મુંબઈથી રોજ ઇન્ડિગો અને સ્પાઇસજેટની બે ફ્લાઇટ ઊપડે છે. એક અઠવાડિયાની કુલ ૧૪ ફ્લાઇટ છે.