આંધ્રપ્રદેશ: ઓગળેલું લોખંડ શરીર પર પડતાં આઠ મજૂરોના મોત, આંકડો વધવાનો ભય

08 June, 2026 09:50 PM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Online Correspondent

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુના કાર્યાલય તરફથી એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ઔદ્યોગિક દુર્ઘટનામાં ઘણા કામદારોના મોત થયા છે, જોકે ચોક્કસ મૃત્યુઆંક સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. મુખ્ય પ્રધાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.

ઘટનાસ્થળની તસવીરો (સૌજન્ય: એજન્સી))

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL) દ્વારા સંચાલિત વિઝાગ સ્ટીલ પ્લાન્ટમાં સોમવારે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓગળેલું લોખંડ શરીર પડતાં ઓછામાં ઓછા આઠ મજૂરોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, અને અધિકારીઓએ સંકેત આપ્યો છે કે મૃત્યુઆંક વધી શકે છે.

બચાવ કામગીરી ચાલુ

અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આઠ મૃતદેહો મળી આવ્યા છે. એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમે બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આઠ મૃતદેહો મળી આવ્યા છે." અકસ્માત બાદ, બચાવ ટીમો અને ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા અને રાહત કામગીરી શરૂ કરી. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુના કાર્યાલય તરફથી એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ઔદ્યોગિક દુર્ઘટનામાં ઘણા કામદારોના મોત થયા છે, જોકે ચોક્કસ મૃત્યુઆંક સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. મુખ્ય પ્રધાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને તમામ વિભાગોને રાહત અને સહાય પ્રયાસોનું સંકલન કરવા નિર્દેશ આપ્યો હતો.