11 May, 2026 07:32 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શપથવિધિ સમારોહ દરમ્યાન ભેગા થયેલા પક્ષના કાર્યકરો સાથે તથા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે સેલ્ફી લેતા વિજય.
વિજયે રવિવારે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા પછી તિરુચિરાપલ્લી (ત્રિચી)-ઈસ્ટ વિધાનસભા બેઠક પરથી ઔપચારિક રીતે રાજીનામું આપી દીધું હતું. ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય બે બેઠકો પરથી વિજેતા થયા હતા, જેમાંથી તેમણે ચેન્નઈની પેરામ્બુર બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. વિજયે પેરામ્બુર અને ત્રિચી-ઈસ્ટ એમ બન્ને બેઠકો પરથી ચૂંટણી લડી હતી. પેરામ્બુર બેઠક પરથી તે ૫૩,૦૦૦થી વધુ મતની જંગી સરસાઈથી જીત્યા હતા, જ્યારે ત્રિચી-ઈસ્ટમાં તેમની જીતનું માર્જિન ૨૭,૦૦૦ જેટલું હતું. ચૂંટણીપંચના નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ એકસાથે બે બેઠક પર પ્રતિનિધિત્વ કરી શકતી નથી, જેને કારણે તેમણે એક બેઠક ખાલી કરવી અનિવાર્ય હતી.
અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર પેરામ્બુર બેઠક ચેન્નઈમાં હોવાથી મુખ્ય પ્રધાન તરીકે વહીવટી કામકાજ અને સચિવાલયની અવરજવર માટે એ વધુ અનુકૂળ રહેશે. આ ઉપરાંત ચેન્નઈમાં તેમની પાર્ટીનું પ્રદર્શન પણ અત્યંત શાનદાર રહ્યું છે.