05 May, 2026 02:40 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન
ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નનની ગઈ કાલે ૪૩મી વર્ષગાંઠ હતી અને આ દિવસે તેણે તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીનાં દર્શન કર્યાં હતાં. ગઈ કાલે ત્રિશાનો જન્મદિવસ તો હતો જ પણ સાથે તેના પ્રેમી વિજય માટે પણ બહુ ખાસ હતો. હકીકતમાં વિજય પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ સાથે તામિલનાડુના ચૂંટણીના મેદાનમાં ઊતર્યો હતો અને ગઈ કાલે ચૂંટણીનું પરિણામ પણ હતું. આ કારણોસર ઘણા ફૅન્સ માની રહ્યા છે કે ત્રિશાએ પોતાના જન્મદિવસે તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીના આશીર્વાદ લેવાની સાથે-સાથે થલપતિ વિજયની જીત માટે પ્રાર્થના કરી છે.