૪૩મી વર્ષગાંઠે ત્રિશા ક્રિષ્નને તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીનાં કર્યાં દર્શન

05 May, 2026 02:40 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

ફૅન્સને લાગે છે કે તેણે પ્રેમી વિજયની જીત માટે પ્રાર્થના કરવા માટે ત્યાં જવાનું પસંદ કર્યું હતું

ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન

ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નનની ગઈ કાલે ૪૩મી વર્ષગાંઠ હતી અને આ દિવસે તેણે તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીનાં દર્શન કર્યાં હતાં. ગઈ કાલે ત્રિશાનો જન્મદિવસ તો હતો જ પણ સાથે તેના પ્રેમી વિજય માટે પણ બહુ ખાસ હતો. હકીકતમાં વિજય પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ સાથે તામિલનાડુના ચૂંટણીના મેદાનમાં ઊતર્યો હતો અને ગઈ કાલે ચૂંટણીનું પરિણામ પણ હતું. આ કારણોસર ઘણા ફૅન્સ માની રહ્યા છે કે ત્રિશાએ પોતાના જન્મદિવસે તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીના આશીર્વાદ લેવાની સાથે-સાથે થલપતિ વિજયની જીત માટે પ્રાર્થના કરી છે.

national news india political news religious places happy birthday