Twisha Sharma Death Case: CBIએ 80 કિલોની ડમીથી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો

01 June, 2026 07:06 PM IST  |  Bhopal | Gujarati Mid-day Online Correspondent

1 જૂન 2026ના રોજ સીબીઆઈની ટીમ ફોરેન્સિક નિષ્ણાતો સાથે પૂર્વ જિલ્લા ન્યાયાધીશ ગિરીબાલા સિંહના કટારા હિલ્સ સ્થિત નિવાસે પહોંચી હતી. સીબીઆઈએ અહીં ત્વિષા 80 કિલોગ્રામ વજન ધરાવતી ડમી (પુતળું) નો ઉપયોગ કરીને તે રાતનો આખો ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો.

ડમી પૂતળું લઈ સીન રિક્રિએટ કરવા જતા અધિકારીઓ - તસવીર સૌજન્ય પીટીઆઈ

મધ્યપ્રદેશના ભોપાલમાં થયેલા ચર્ચિત મોડલ અને અભિનેત્રી ત્વિષા શર્મા (ઉંમર 33 વર્ષ) ના શંકાસ્પદ મોત અને દહેજ ઉત્પીડન મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ તપાસ તેજ કરી દીધી છે. સોમવાર, 1 જૂન 2026ના રોજ સીબીઆઈની ટીમ ફોરેન્સિક નિષ્ણાતો સાથે પૂર્વ જિલ્લા ન્યાયાધીશ ગિરીબાલા સિંહના કટારા હિલ્સ સ્થિત નિવાસે પહોંચી હતી. સીબીઆઈએ અહીં ત્વિષા 80 કિલોગ્રામ વજન ધરાવતી ડમી (પુતળું) નો ઉપયોગ કરીને તે રાતનો આખો ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન આરોપી પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરીબાલા સિંહ પણ ઘટનાસ્થળે હાજર હતા.

સમર્થ અને ગિરીબાલા પાસે કરાવ્યું ડેમોન્સ્ટ્રેશન

તપાસ દરમિયાન સીબીઆઈએ બંને આરોપીઓને ઘટના સમયે તેઓ ક્યાં હતા અને તેમણે શું કર્યું તે દર્શાવવા કહ્યું હતું. આરોપી પતિ સમર્થે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે જ ત્વિષાને ફાંસીના ગાળિયા પરથી નીચે ઉતારી હતી, જ્યારે તેની માતા ગિરીબાલાએ ગાંઠ ખોલી હતી. સીન રિક્રિએશન દરમિયાન સમર્થે ડમીના ગળામાં ફંદો નાખીને બતાવ્યું કે ત્વિષા કેવી રીતે લટકેલી હતી. ત્યારબાદ તેણે ડમીને નીચે ઉતારી. આ પછી પૂર્વ જજ ગિરીબાલા સિંહ પાસે પેટી (બોક્સ) પર ચડાવીને દોરડા (બેલ્ટ) ની ગાંઠ ખોલાવવામાં આવી હતી, જેમાં તેમણે ઘણી મહેનત કરવી પડી હતી. સીબીઆઈએ તે નોકરને પણ ઘટનાસ્થળે બોલાવ્યો હતો જેણે સમર્થ સાથે મળીને લાશ નીચે ઉતારી હતી. આ ઉપરાંત, નજીકમાં રહેતા સગા સ્વરાજ સિંહને પણ બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પૂછપરછથી કંટાળીને સમર્થ અને ગિરીબાલા ગુસ્સામાં આવી ગયા હતા.

જિમ્નાસ્ટિક હૂક અને બેલ્ટથી લટકેલી મળી હતી લાશ

ઉલ્લેખનીય છે કે, નોઈડાની રહેવાસી ત્વિષા શર્માના લગ્ન ડિસેમ્બર 2025માં ભોપાલના સમર્થ સિંહ સાથે થયા હતા. લગ્નના માત્ર 5 મહિના બાદ, 12 મે 2026ના રોજ ત્વિષાની લાશ તેના સાસરીમાં જિમ્નાસ્ટિક હૂક સાથે બેલ્ટથી લટકેલી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્વિષાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે લગ્ન પછી તેની પાસે વધારાના 20 લાખ રૂપિયાની માંગણી કરીને ભારે માનસિક પ્રતાડના અને દહેજ ઉત્પીડન કરવામાં આવતું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે ટ્વિશાના શરીર અને માથા પર મોતના પહેલાની ઈજાના નિશાન હતા.

ગભરામણ અને બેચેનીની ફરિયાદ કરે છે ગિરીબાલા

ભોપાલની વિશેષ અદાલતે પૂર્વ જજ ગિરીબાલા સિંહ અને પતિ સમર્થ સિંહને 5 દિવસના સીબીઆઈ રિમાન્ડ પર સોંપ્યા હતા, જે 2 જૂને પુરા થઈ રહ્યા છે. ત્યારબાદ એજન્સી તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરશે. ગિરીબાલા સિંહની હાઈકોર્ટમાંથી અગ્રીમ જામીન રદ થયા બાદ ગુરુવારે (28 મે) ધરપકડ કરાઈ હતી, જ્યારે સમર્થ 10 દિવસ ફરાર રહ્યા બાદ 22 મેના રોજ પકડાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈની કસ્ટડીમાં ગિરીબાલા સતત ગભરામણ અને બેચેનીની ફરિયાદ કરીને પૂછપરછથી બચવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ દરમિયાન કાયદાના જાણકાર એવા પૂર્વ જજ ગિરીબાલા સિંહ CBIના સવાલોના જવાબો આપવાનું ટાળી રહ્યા છે. જ્યારે પૂછપરછનો દાયરો વધ્યો, ત્યારે તેમણે અચાનક એન્ગ્ઝાયટી અને ગભરામણની ફરિયાદ કરી હતી. તપાસ અધિકારીઓ તેને પૂછપરછથી બચવા અને સમય પસાર કરવાનો નુસ્ખો માની રહ્યા છે, કારણ કે જ્યારે પણ સીધા સવાલો પૂછવામાં આવે છે ત્યારે તેઓ મોટેભાગે મૌન થઈ જાય છે. સીબીઆઈની તપાસનું મુખ્ય કેન્દ્ર અત્યારે એ છે કે શું ઘટનાસ્થળ એટલે કે `ક્રાઈમ સીન`ની સ્થિતિ બદલવામાં આવી હતી? ટ્વિશાના મોત બાદ પણ પોલીસને માહિતી આપવામાં આટલી બધી મોડું કેમ કરવામાં આવ્યું? આ સિવાય, લગ્ન પછી ત્વિષા અને સાસરિયાઓ વચ્ચેના બગડેલા સંબંધો, વિવાદો અને વૉટ્સએપ ચેટ્સ (WhatsApp Chats) બંને આરોપીઓ સામે રાખીને જવાબો માંગવામાં આવી રહ્યા છે. હવે સીબીઆઈની ટીમ સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ-લેપટોપના ડેટાની સરખામણી બંને આરોપીઓના નિવેદનો સાથે કરી રહી છે.

CBI તપાસના 3 મોટા હથિયાર: પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મોડી જાણ અને વકીલોનું કનેક્શન

CBIએ પૂછપરછમાં ત્વિષાના પોસ્ટમોર્ટમ રિપોર્ટને સૌથી મોટું હથિયાર બનાવ્યો છે. રિપોર્ટથી સ્પષ્ટ થયું છે કે ત્વિષાના શરીર પર મોતના પહેલાની ઈજાના નિશાન હતા. સીબીઆઈએ ગિરીબાલા સિંહને સીધો સવાલ કર્યો કે આ ઈજાઓ કેવી રીતે થઈ અને શું તે સમયે પરિવારના સભ્યો ઘરમાં જ હાજર હતા? તપાસ અધિકારીઓનું કહેવું છે કે આ ઈજાઓ એવી બિલકુલ નથી જે સામાન્ય રીતે મોતના વક્ત કે શવને સંભાળતી વખતે લાગે, પરંતુ તે સીધી રીતે શારીરિક પ્રતાડના (ટોર્ચર) તરફ ઈશારો કરે છે.આ સમગ્ર મામલામાં સૌથી શંકાસ્પદ વળાંક ત્યારે આવ્યો જ્યારે ત્વિષાના મોતના દિવસનું એક નવું સત્ય સામે આવ્યું. CBIએ પૂર્વ જજને સવાલ કર્યો કે ત્વિષાના મોતની તરત જ બાદ પાર્લરમાંથી CCTV ફૂટેજ લેવા માટે ત્રણ વકીલોને કોણે અને કેમ મોકલ્યા હતા? એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વકીલોને ત્યાં પુરાવા સુરક્ષિત રાખવા મોકલ્યા હતા કે પછી ડિજિટલ રેકોર્ડ ભૂંસી નાખવા કે તેની સાથે કોઈ છેડછાડ કરવા માટે મોકલવામાં આવ્યા હતા?

સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત અને દેશભરમાં આક્રોશ

સીન રિક્રિએશન પહેલા કટારા હિલ્સ પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી અને ઘરની ચારેય તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. આ હાઈપ્રોફાઈલ કેસને લઈને જનતામાં ભારે આક્રોશ છે. ગત રવિવારે જ યુપીના નોઈડામાં સોસાયટીના લોકો અને ટ્વિશાના ભાઈ મેજર હર્ષિત શર્માની હાજરીમાં ન્યાયની માંગ સાથે એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જ્યારે 29 મેના રોજ ત્વિષાના અસ્થિઓને તેના પિતા નવનિધિ શર્મા દ્વારા ઋષિકેશમાં ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા.

Crime News madhya pradesh central bureau of investigation bhopal murder case