મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રજૂ કર્યું આઠ વર્ષનું રિપોર્ટ-કાર્ડ

26 March, 2025 06:55 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

૨૨૨ જેટલા ગુંડાઓને ઠાર માર્યા; ૮૦,૯૧૪ લોકો પર ગૅન્ગસ્ટર ઍક્ટ લાગુ કર્યો; ગુનેગારોની ૧૪૨ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનાં ૮ વર્ષ પૂર્ણ થયાં છે એ અવસરે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે લખનઉમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકારની સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. સરકારની ‘સેવા, સુરક્ષા અને સુશાસન નીતિ’ પર આધારિત ડૉક્યુમેન્ટરી પણ રજૂ કરી હતી. આ દરમ્યાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં BJP સરકારે પોતાનાં ૮ વર્ષના કાર્યકાળ દરમ્યાન ગુંડારાજ ખતમ કર્યું છે. આ સરકારે કાયદો અને વ્યવસ્થા વિશે અત્યાર સુધીનાં સૌથી મોટાં અને કડક પગલાં લીધાં છે જેની અસરો પણ દેખાઈ રહી છે. ૮ વર્ષનો ડેટા પણ એ વાતનો સાક્ષી છે કે ઉત્તર પ્રદેશ પોલીસે સમાજને ભયમુક્ત બનાવવા માટે કેવી રીતે મોટાં પગલાં લીધાં. આ સમયગાળા દરમ્યાન પોલીસે એન્કાઉન્ટરમાં ૨૨૨ ગુનેગારોને ઠાર માર્યા અને ૮૧૧૮ ગુનેગારો ઘાયલ થયા. આ સમયગાળા દરમ્યાન પોલીસે ૯૩૦ ગુનેગારો અને ૭૯,૯૮૪ બદમાશો પર ગૅન્ગસ્ટર ઍક્ટ લાગુ કર્યો. વધુમાં ગુનેગારોની નાણાકીય સ્થિતિ પર પ્રહાર કરવા માટે ૧૪૨ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.’

national news india uttar pradesh yogi adityanath delhi news indian government bharatiya janata party