02 April, 2026 02:54 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પંગુની ઉથિરમ
તામિલનાડુમાં ગઈ કાલે પંગુની ઉથિરમ નામનો તહેવાર ઊજવાયો હતો. આ ઉત્સવ પંગુની મહિનાની પૂર્ણિમાના દિવસે ઊજવાય છે જ્યારે ઉથિરમ નક્ષત્ર ચાલી રહ્યું હોય છે. આ ઉત્સવ ભગવાન મુરુગન અને દેવસેનાના વિવાહનો ઉત્સવ છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને વૈવાહિક સુખ માટે પૂજા-માનતા રાખે છે. અનુષ્ઠાન દરમ્યાન મંદિરોમાં વિશેષ પૂજા થાય છે અને શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રામાં લોકો શરીરને કષ્ટ પડે એવા સ્ટન્ટ કરે છે. લોકો પીઠ, મોં અને છાતીની ચામડીમાં પિયર્સિંગ કરીને એમાં હુક ભરાવે છે. આ વખતે કેટલાક ભક્તોએ કષ્ટની ચરમસીમાનો અનુભવ થાય એવો પ્રયોગ કર્યો હતો જેમાં જમીનથી ખાસ્સે ઊંચે મુકાયેલી પ્રતિમાની સાથે બાંધેલી રસ્સીઓ પર પીઠ પર પિયર્સિંગ કરીને લટક્યા હતા.