16 January, 2022 08:41 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
૨૪ કૅરૅટ સોનાના વરખવાળો આઇસક્રીમ
ભારતમાં એવી ઘણી મીઠાઈઓ છે, જેના પર ચાંદીનો વરખ લગાવવામાં આવે છે અને એમાં કાજુકતરીનો પણ સમાવેશ છે. જોકે સોનાનો વરખ ઘણી ઓછી કે નામની મીઠાઈઓ પર લગાવવામાં આવે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફૂડ-બ્લૉગરે એક વિડિયો મૂક્યો છે, જેમાં હૈદરાબાદની હુબર ઍન્ડ હૉલી કૅફેમાં આઇસક્રીમ સર્વ કરાય છે, જેના પર ૨૪ કૅરૅટ સોનાનો વરખ લગાવવામાં આવે છે.
‘જસ્ટ નાગપુર થિંગ્સ’ નામનું પેજ ચલાવતા ફૂડ-બ્લૉગર અભિનવ જેસવાનીએ આ વિડિયો પોસ્ટ કર્યો હતો. અભિનવ જેસવાની જ્યારે હૈદરાબાદ ગયો હતો ત્યારે મિની મિડાસ નામે ઓળખાતો અને ૫૦૦ રૂપિયામાં મળતો આ આઇસક્રીમ ટ્રાય કર્યો હતો. આ આઇસક્રીમને શ્રેષ્ઠ ગણાવતાં તેણે કહ્યું કે હૈદરાબાદની મુલાકાત લેનારે એક વાર તો બંજારા હિલ્સ જઈને આ આઇસક્રીમ ખાવો જ જોઈએ. તેની પોસ્ટને અત્યાર સુધી ૨.૩ લાખ વ્યુઝ મળ્યા છે.