07 July, 2026 10:37 AM IST | Amarnath | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમરનાથ યાત્રા દરમ્યાન બાબા બર્ફાનીને ૫૬ ભોગનો પ્રસાદ અર્પિત થતો હોય એવો વિડિયો આજકાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આકરી પદયાત્રા કરીને બાબા બર્ફાનીનાં દર્શન કરવા આવતા એક શ્રદ્ધાળુના હાથમાં ૫૬ ભોગનો પ્રસાદ જોવા મળ્યો હતો. શુભમ ૬૧૬૧૬૧૬૧ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા વિડિયોમાં એક ભક્ત મોટા થાળમાં ૫૬ પ્રકારનાં વ્યજનો સજાવેલો થાળ લઈને ભોલેનાથને અર્પણ કરવા જઈ રહ્યો છે.