19 July, 2026 12:36 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
૪૪ લાખ વાર રામનામ લખીને અયોધ્યામાં દાન કર્યું
ઉત્તરાખંડના દેહરાદૂનમાં રહેતી દીપ્તિ સિંહ નામની દિવ્યાંગ યુવતીએ ભગવાન શ્રી રામ માટેની અનન્ય આસ્થાથી પ્રેરાઈને રામનામની સાધના કરી હતી. વર્ષોથી ચાલતી આ સાધના અંતર્ગત દીપ્તિ ૪૪ લાખ વાર રામનું નામ લખી ચૂકી છે. હાલમાં તેણે ઘરમાં જ એક રામભજનની સંધ્યા યોજીને આ રામનામની પોથીઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. માનસિક રીતે અક્ષમ હોવા છતાં દીપ્તિએ જીવનનો અધિકાંશ સમય રામનામનું લેખન અને પૂજાપાઠ કરવામાં વિતાવ્યો છે. અત્યાર સુધીમાં ૪૦૦ નોટબુક ભરીને તેણે રામનામ લખ્યું છે. દરેક નોટબુકમાં ૧૧,૦૦૦ વાર રામ રામ લખ્યું છે. પરિવારનું કહેવું છે કે આ માત્ર રામનામનું લેખન નથી, વર્ષોથી ચાલતી નિરંતર સાધના છે. તાજેતરમાં યોજેલી રામધૂનની સંધ્યામાં ભાવિકો તરફથી લગભગ ૩૫,૦૦૦ રૂપિયાનો ચડાવો મળ્યો હતો. દીપ્તિએ એ ચડાવો પણ રામ મંદિરમાં સમર્પિત કર્યો છે.