21 June, 2026 12:55 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણની બચત કરવાનો મંત્ર જનતાને આપ્યો છે એ પછીથી કેટલાય લોકોએ ઇકો-ફ્રેન્ડ્લી ટ્રાન્સપોર્ટના વિકલ્પો અપનાવવા શરૂ કર્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રાજેશ સિંહ નામના ખેડૂતના દીકરાએ પર્યાવરણ સંરક્ષણના સંદેશને ફેલાવવા તેમ જ લગ્નમાં થતા રાજાશાહી ઠાઠનો વિરોધ કરવા માટે ઈ-રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. રાજેશ હાલમાં બૅન્ગલોરમાં એક હૉસ્પિટલમાં કામ કરે છે. શુક્રવારે તે ૧૫૦ જાનૈયાઓને લઈને કન્યાના ગામ પહોંચ્યો ત્યારે લાંબી જાનને જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. લક્ઝરી કાર, બસ કે ઘોડાગાડીમાં જાન આવતી હોય, પણ રાજેશે ઈ-રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. તમામ જાનૈયાઓ ઈ-રિક્ષામાં જ સવાર થયા હતા એટલે લગભગ પચીસ રિક્ષાઓ લાઇનસર જ્યારે ગામમાં પ્રવેશી ત્યારે નજારો જોવા જેવો થયો હતો.