27 July, 2024 02:19 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
વૉચ
ભગવાન શ્રીરામ અને અયોધ્યાના રામમંદિરથી પ્રેરિત થઈને સ્વિટ્ઝરલૅન્ડની લક્ઝરી વૉચ બનાવતી જેકબ ઍન્ડ કંપનીએ લક્ઝરી વૉચ બનાવી છે. આ લિમિટેડ એડિશન વૉચ છે જેમાં રામમંદિર, હનુમાન અને ભગવાન શ્રીરામ છે. એનાં ફક્ત ૪૯ મૉડલ બનાવવામાં આવ્યાં છે અને એમાંથી ૩૫ વેચાઈ ગયાં છે. આ વૉચની કિંમત ૩૪ લાખ રૂપિયા છે. એમાં ૯ વાગ્યે રામમંદિર અને ૬ વાગ્યે જય શ્રીરામ લખેલું દેખાય છે. હનુમાનજી ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન જોવા મળે છે. ભગવાન શ્રીરામ ધનુષ ચલાવતા જોવા મળે છે. આ વૉચ ઇન્ડિયન કલ્ચર અને લોકોની ભાવના તથા ભક્તિને ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી તેમ જ આ વૉચનો કલર પણ ભગવો રાખવામાં આવ્યો છે જે હિન્દુત્વનો રંગ છે.