28 February, 2026 11:54 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ગાંધીજીની પ્રતિમા સામે કર્યું શીર્ષાસન
મધ્ય પ્રદેશમાં વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે. એ દરમ્યાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. શ્યૉપરના કૉન્ગ્રેસના વિધાનસભ્ય બાબુલાલ જન્દેલે તેમની સામે કરવામાં આવેલી એક ફરિયાદના વિરોધમાં ગાંધીજીની પ્રતિમાની સામે શીર્ષાસન કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમના આ અનોખા વિરોધથી વિધાનભવનમાં મોજૂદ લોકો અને મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું. વાત એમ છે કે મહાશિવરાત્રિના અવસર પર નીકળેલી શિવબારાત દરમ્યાન ઉત્સાહ-ઉમંગમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે બાબુલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બાબુલાલ જન્દેલનું કહેવું છે કે આ ફરિયાદ રાજકીય દ્વેષથી પ્રેરાઈને કરવામાં આવી છે. તેમણે શીર્ષાસન કરીને કહ્યું હતું કે મારા પર કરવામાં આવેલો ખોટો કેસ એ લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે.