17 September, 2026 08:17 PM IST | Gurdaspur | Gujarati Mid-day Correspondent
પિતાના મૃત્યુની વરસી પર દીકરાએ ૨૦૦ રામભક્તોને બતાવી હનુમાન અંશ ફિલ્મ
પંજાબના ગુરદાસપુરના કલાનૌર ગામમાં નરેન્દ્ર વિજ નામના ભાઈએ પિતા સુરિન્દર વિજની દસમી મૃત્યુજયંતી પર એક આખું થિયેટર બુક કરાવ્યું હતું અને ૨૦૦થી વધુ રામભક્તોને ‘હનુમાન અંશ’ ફિલ્મ બતાવી હતી. સુરિન્દર વિજ સરપંચ હતા અને તેમના સમાજસેવી દીકરા નરેન્દ્ર વિજે પિતાના મૃત્યુના દસમા વર્ષની જયંતી નિમિત્તે રામભક્તો માટે આ ખાસ આયોજન થિયેટરમાં કર્યું હતું. થિયેટરમાં ‘હનુમાન અંશ’ ફિલ્મના સ્ક્રીનિંગની સાથે રામભક્તોનું સન્માન કરવામાં આવ્યું અને સાથે ભજન-મંડળી દ્વારા ધાર્મિક ગીતોની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આખા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગની સાથે રામનામનો જાપ પણ ચાલતો રહ્યો હતો.