30 January, 2026 04:47 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વજન ઘટાડવા માટે લોકો વિવિધ પદ્ધતિઓ આપવાને છે. કેટલાક જીમમાં જોડાય છે, જ્યારે કેટલાક ઘરે કસરત અને ડાયટ જેવા ઉપાયો કરે છે. આ દરમિયાન, તમિલનાડુમાં કંઈક એવું બન્યું જેણે બધાને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ વજન ઘટાડવાની ટિપ જીવલેણ સાબિત થઈ, અને એક કૉલેજ ગર્લ ‘બોરેક્સ’ (એક પ્રકારનું રસાયણ) ખાધા પછી મૃત્યુ પામી. સંપૂર્ણ વાર્તા શું છે તે જાણીએ.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે 19 વર્ષની પ્રથમ વર્ષની કૉલેજ વિદ્યાર્થિનીનું વેંકરામ અથવા બોરેક્સ નામની કોઈ વસ્તુ ખાવાથી મૃત્યુ થયું, જે તેણે યુટ્યુબ વીડિયોની સલાહના આધારે સ્થાનિક દુકાનમાંથી ખરીદી હતી. મૃતક છોકરી, જેની ઓળખ કલાઈયારાસી તરીકે થઈ છે, તે મીનામ્બલપુરમના દૈનિક વેતન પર કામ કરતાં મજૂર વેલ મુરુગન અને વિજયલક્ષ્મીની દીકરી હતી. તે નારીમેડુની એક જાણીતી ખાનગી મહિલા કૉલેજમાં અભ્યાસ કરતી હતી.
અહેવાલો અનુસાર, યુવતી વારંવાર ઓનલાઈન ઝડપી વજન ઘટાડવાની ટિપ્સ શોધતી હતી કારણ કે તેનું વજન થોડું વધારે હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે તાજેતરમાં યુટ્યુબ ચેનલ પર વજન ઘટાડવાનો વીડિયો જોયો અને પછી દવા લીધી. ૧૭ જાન્યુઆરીના રોજ, તેણે વીડિયોમાં બતાવેલ પદાર્થનું સેવન કર્યું. થોડા સમય પછી, તેને ઉલટીઓ અને ઝાડા થવા લાગ્યા. તેની માતા તેને મુનિસલાઈની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેની સારવાર કરવામાં આવી અને તે ઘરે પાછી ફરી.
જોકે, તે જ સાંજે લક્ષણો ફરી જાણાવા લાગ્યા. નજીકની બીજી હૉસ્પિટલમાં ગયા પછી, તે ઘરે પાછી આવી પરંતુ પેટમાં તીવ્ર દુખાવો થયો અને રડવા લાગી અને ચીસો પાડવા લાગી. રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ, ઉલટીઓ અને ઝાડા વધતાં તેની હાલત ઝડપથી બગડી. પોલીસે જણાવ્યું હતું કે પડોશીઓએ પરિવારને તેને સરકારી રાજાજી હૉસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી હતી, પરંતુ રસ્તામાં જ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને બાદમાં પરિવારને સોંપવામાં આવ્યો હતો. સેલુર પોલીસે કેસ નોંધ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે, જેમાં યુટ્યુબ કન્ટેન્ટ અને દુકાને તેના મૃત્યુમાં કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં તે નક્કી કરવાનો સમાવેશ થાય છે.
લોકોને લાગે છે કે વજનકાંટો તેમના હેલ્થનો માપદંડ છે, પણ એ સાવ ખોટી વાત છે. એ હકીકત છે કે આપણા શરીરમાં જામી જતી ફૅટ્સ આપણને બીમાર કરી શકે છે અને આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે, પરંતુ આપણે જે વજનકાંટા પર ઊભા રહીને વજન માપીએ છીએ એ વજન ઊતરવાથી આપણે સ્વસ્થ થવાના નથી. આજકાલ જેટલા પણ ડાયટિશ્યન છે તેઓ વજનકાંટાનો ઉપયોગ કરતા નથી.