આ વખતે માઘમેળામાં મોનાલિસાને બદલે પશ્ચિમ બંગાળની આનંદરાધા ગોસ્વામી ચર્ચામાં

16 January, 2026 01:03 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

તેના ગળામાં ચાંદીનું મા દુર્ગાનું મોટું પેન્ડન્ટ છે અને રુદ્રાક્ષની માળા તેમ જ કાળા દોરામાં કોડીઓથી બનેલી હાંસડી છે

આનંદરાધા ગોસ્વામી

પ્રયાગરાજમાં ગયા વર્ષે મહાકુંભમાં માંજરી આંખોવાળી મોનાલિસા ચર્ચામાં આવી હતી એમ આ વખતે માઘમેળામાં માંજરી આંખોવાળી પશ્ચિમ બંગાળની એક મહિલા બહુ ચર્ચામાં છે.

આનંદરાધા ગોસ્વામી નામની આ મહિલા માઘમેળામાં તેના લુક અને પહેરવેશની ખાસિયતને કારણે લોકોમાં કુતૂહલનો વિષય બની છે. તેના ગળામાં ચાંદીનું મા દુર્ગાનું મોટું પેન્ડન્ટ છે અને રુદ્રાક્ષની માળા તેમ જ કાળા દોરામાં કોડીઓથી બનેલી હાંસડી છે. સ્થાનિકોના મનમાં પણ આનંદરાધા ગોસ્વામીએ ખાસ જગ્યા બનાવી લીધી છે અને મેળામાં આવતા વિઝિટર્સમાં પણ તેના ટ્રેડિશનલ લુકનો જાદુ ચાલ્યો છે.

offbeat news prayagraj culture news india national news