21 January, 2026 02:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આસિફ નઝરુલ
બંગલાદેશ સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે મંગળવારે પુનરુચ્ચાર કર્યો કે રાષ્ટ્રીય ટીમ કોઈ પણ સંજોગોમાં T20 વર્લ્ડ કપ માટે ભારત જશે નહીં. તેણે કહ્યું હતું કે ‘મને ખબર નથી કે સ્કૉટલૅન્ડને અમારા સ્થાને સમાવવામાં આવશે કે નહીં. જો ICC ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેશર હેઠળ અન્યાયી શરતો લાદીને અમારા પર પ્રેશર કરવાનો પ્રયાસ કરશે તો અમે એ શરતો સ્વીકારીશું નહીં.’ આસિફ નઝરુલે વધુમાં કહ્યું હતું કે ‘ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે જ્યાં પાકિસ્તાને કહ્યું હતું કે તેઓ ભારત નહીં જાય અને ICCએ સ્થળ બદલ્યું હતું. અમે તાર્કિક આધાર પર સ્થળ બદલવાની માગ કરી છે અને અન્યાયી પ્રેશર દ્વારા અમને ભારતમાં રમવા માટે પ્રેશર કરી શકે નહીં.’