ઇંગ્લૅન્ડમાં જીતવા માટે મૅચમાં ૨૦ વિકેટ લેવી પડશે, ભારતે કુલદીપને રમાડવો જ જોઈશે : માઇકલ ક્લાર્ક

29 June, 2025 06:36 AM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કે બીજી ટેસ્ટ-મૅચ માટે એક્સ-ફૅક્ટર અને ડાબા હાથના સ્પિનર ​​કુલદીપ યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવાનું સૂચન કર્યું છે

કુલદીપ યાદવ, માઇકલ ક્લાર્ક

ભારતના બોલિંગ-યુનિટ પર વધતી ચિંતાઓ વચ્ચે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કે બીજી ટેસ્ટ-મૅચ માટે એક્સ-ફૅક્ટર અને ડાબા હાથના સ્પિનર ​​કુલદીપ યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવાનું સૂચન કર્યું છે. તેણે કહ્યું કે ‘મને લાગે છે કે કુલદીપ યાદવને રમાડવો જોઈએ. તે વિકેટ લેનાર બોલર છે અને પહેલી ટેસ્ટ-મૅચમાં તેણે જે જોયું એના કરતાં તે ભારતીય બોલિંગ-આક્રમણ માટે વધુ સારુ પ્રદર્શન આપી શક્યો હોત.’

તેણે વધુમાં કહ્યું કે ‘ભારત વધારાની બૅટિંગ અથવા ડીપ-બૅટિંગ વિશે ખૂબ કાળજી રાખે છે, પણ મને લાગે છે કે ઇંગ્લેન્ડમાં જીતવા માટે તમારે ૨૦ વિકેટ લેવી પડશે.’ ૧૩ ટેસ્ટ-મૅચમાં ૫૬ વિકેટ લેનાર ૩૦ વર્ષનો કુલદીપ ઇંગ્લૅન્ડ સામે ૬ ટેસ્ટ-મૅચમાં ૨૧ વિકેટ લઈ ચૂક્યો છે. 

Kuldeep Yadav india england indian cricket team test cricket michael clarke australia cricket news sports sports news