09 July, 2026 11:56 AM IST | Bristol | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર
આજે ભારતીય સમય અનુસાર સાંજે ૧૦ વાગ્યે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી T20 મૅચ રમાશે. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાનારી આ મૅચ જીતીને શ્રેયસ ઐયર ઍન્ડ કંપની સિરીઝ ડ્રૉ કરવાની આશા જીવંત રાખવા ઊતરશે.
બ્રિસ્ટલના મેદાન પર ભારતીય ટીમ ક્યારેય નથી હાર્યું. ભારત અહીં ૨૦૧૮માં ૮ જુલાઈએ એક T20 મૅચ રમ્યું હતું જેમાં ભારતે ૧૯૯ રનનો ટાર્ગેટ ૧૮.૪ ઓવરમાં ચેઝ કરીને યજમાન ટીમ સામે ૭ વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લૅન્ડ અહીં પાંચ T20 મૅચમાંથી બે મૅચ જીત્યું છે અને ત્રણ મૅચમાં હાર મળી છે.
ભારતીય મેન્સ ટીમ અહીં ટેસ્ટ-મૅચ નથી રમી પણ વન-ડે ફૉર્મેટમાં પણ અજેય રહી છે. ૧૯૯૯થી ૨૦૦૭ દરમ્યાન ભારતે બ્રિસ્ટલમાં ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને કેન્યાની ટીમને એક-એક મૅચમાં હરાવ્યું હતું.
મૅચનો સમય - રાતે ૧૦.૦૦ વાગ્યાથી