બ્રિસ્ટલમાં ઇંગ્લૅન્ડ સામે અપરાજિત રહ્યું છે ભારત

09 July, 2026 11:56 AM IST  |  Bristol | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ અહીં પાંચ T20 મૅચમાંથી બે મૅચ જીત્યું છે અને ત્રણ મૅચમાં હાર મળી છે

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર

આજે ભારતીય સમય અનુસાર સાંજે ૧૦ વાગ્યે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી T20 મૅચ રમાશે. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાનારી આ મૅચ જીતીને શ્રેયસ ઐયર ઍન્ડ કંપની સિરીઝ ડ્રૉ કરવાની આશા જીવંત રાખવા ઊતરશે.

બ્રિસ્ટલના મેદાન પર ભારતીય ટીમ ક્યારેય નથી હાર્યું. ભારત અહીં ૨૦૧૮માં ૮ જુલાઈએ એક T20 મૅચ રમ્યું હતું જેમાં ભારતે ૧૯૯ રનનો ટાર્ગેટ ૧૮.૪ ઓવરમાં ચેઝ કરીને યજમાન ટીમ સામે ૭ વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લૅન્ડ અહીં પાંચ T20 મૅચમાંથી બે મૅચ જીત્યું છે અને ત્રણ મૅચમાં હાર મળી છે.

ભારતીય મેન્સ ટીમ અહીં ટેસ્ટ-મૅચ નથી રમી પણ વન-ડે ફૉર્મેટમાં પણ અજેય રહી છે. ૧૯૯૯થી ૨૦૦૭ દરમ્યાન ભારતે બ્રિસ્ટલમાં ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને કેન્યાની ટીમને એક-એક મૅચમાં હરાવ્યું હતું. 

મૅચનો સમય - રાતે ૧૦.૦૦ વાગ્યાથી

england india indian cricket team team india t20 international t20 cricket news sports sports news sanju samson axar patel shreyas iyer ishan kishan abhishek sharma prasidh krishna washington sundar shivam dube varun chakaravarthy arshdeep singh tilak varma ravi bishnoi harshit rana prince yadav vaibhav sooryavanshi