વરસાદને લીધે વાનખેડેમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની પ્રૅક્ટિસ ન થઈ

02 December, 2021 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેડ્યુલ પ્રમાણે બીજી અને અંતિમ ટેસ્ટ આવતી કાલે શરૂ થશે

ગઈ કાલે વાનખેડે સ્ડેડિયમના એક સ્ટૅન્ડમાં ખુરસીઓ ખૂબ ખરાબ થઈ જતાં સાફ કરવામાં આવી હતી. મેઘરાજા ચિંતા કરાવી રહ્યા છે. (તસવીર : એ.એફ.પી.)

ગઈ કાલે એકધારા કમોસમી વરસાદને કારણે ભારત અને ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ બીજી ટેસ્ટ-મૅચ માટે વાનખેડે સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ નહોતા કરી શક્યા. બન્ને ટીમે પ્રૅક્ટિસ-સેશન રદ કર્યું હતું. શેડ્યુલ પ્રમાણે બીજી અને અંતિમ ટેસ્ટ આવતી કાલે શરૂ થશે.
ગઈ કાલ સવારથી વરસાદ શરૂ થઈ જતાં વાનખેડેની પિચને કવર કરવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટ રોમાંચક ઉતાર-ચડાવ બાદ છેવટે ડ્રૉમાં જતાં વાનખેડેની મૅચ નિર્ણાયક બની રહેશે.

sports sports news test cricket cricket news india new zealand