દર્શકો સામે રમવા ઉત્સુક મૉર્ગન

17 September, 2021 08:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલી આઇપીએલ રવિવારથી ફરી શરૂ થઈ રહી છે

ઇયોન મૉર્ગન

કોવિડને કારણે મૂકવામાં આવેલાં નિયંત્રણો હળવાં થતાં દર્શકો સામે રમવા માટે કલકત્તાનો કૅપ્ટન ઇયોન મૉર્ગન ભારે ઉત્સુક છે. કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલી આઇપીએલ રવિવારથી ફરી શરૂ થઈ રહી છે. દરમ્યાન બુધવારે એવી ઘોષણા કરવામાં આવી હતી કે અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં મર્યાદિત સંખ્યામાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. કલકત્તાની ટીમની વેબસાઇટ સાથે વાત કરતાં મૉર્ગને કહ્યું કે ઈડન ગાર્ડન્સમાં કલકત્તાના પ્રશંસકોનો શોર સાંભળ્યાને ઘણો સમય થઈ ગયો છે. ભલે યુએઈ ઘરઆંગણેનું મેદાન નથી છતાં હું એ શોર સાંભળવા આતુર છું.’

sports sports news cricket news indian premier league ipl 2021 kolkata knight riders Eoin Morgan