19 September, 2021 11:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્મા અને એમએસ ધોની. ફાઇલ ફોટો/એએફપી
આઈપીએલ 2021ના બીજા ભાગની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ નિર્ધારિત ઓવરમાં માત્ર 136 રન બનાવી શકી હતી. આઈપીએલ 2021માં ચેન્નઈની આ છઠ્ઠી જીત છે. તેના આઠ મેચમાં હવે 12 પોઇન્ટ થઈ ગયા છે.
આ જીત સાથે ચેન્નઈએ આઈપીએલ 2021ના પહેલા ભાગમાં પોતાની હારનો બદલો પણ લીધો છે. હકીકતે ભારતમાં રમાયેલા પહેલા હાફમાં ચેન્નઈએ મુંબઈ સામે 218 રનથી મેચ જીતી હતી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનના 30માં મુકાબલા દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા મેચ રમ્યો ન હતો અને તેની ગેરહાજરીમાં કિરોન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું.