17 September, 2021 08:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રિષભ પંત
યુએઈમાં રવિવારથી શરૂ થતી આઇપીએલના બીજા તબક્કામાં રિષભ પંત જ દિલ્હીની ટીમનો કૅપ્ટન રહેશે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ગયા વર્ષે ટીમ ફાઇનલમાં પહોંચી હતી છતાં દિલ્હીની ટીમે આ વર્ષે પંતના નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની ટીમે પંતના નેતૃત્વમાં ૬ મૅચ જીતીને કુલ ૧૨ પોઇન્ટ મેળવ્યા છે અને ગ્રુપમાં એ ટોચ પર છે. ખભામાં સર્જરીને કારણે ઐયર ઈજાગ્રસ્ત થતાં પંતને કૅપ્ટન્સી સોંપવામાં આવી હતી. ગઈ કાલે ટીમની વેબસાઇટ પર પંત જ કૅપ્ટન રહેશે એવી ઘોષણા કરવામાં આવી છે.