03 December, 2021 03:12 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
કલકત્તા નાઇટ રાઇડર્સના આઇપીએલ ૨૦૧૨ અને ૨૦૧૪ના વિજયમાં સ્પિનર સુનીલ નારાયણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની કારકિર્દીની ચડતી-પડતીમાં ટીમ તેના પડખે રહી હતી એને પરિણામે તેણે આ ટીમને પોતાના બીજા ઘર જેવી ગણાવી હતી. ૨૦૧૪માં ચૅમ્પિયન્સ લીગ ટી૨૦ દરમ્યાન તેની બોલિંગ-ઍક્શન સામે શંકા ઉઠાવવામાં આવી હતી ત્યારે તેની કરીઅરને માથે સંકટ હતું. આવી જ ઘટના આઇપીએલ ૨૦૨૦ દરમ્યાન પણ બની હતી. આમ તેની ક્રિકેટ કારકકિર્દીમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા.
૩૩ વર્ષના આ ખેલાડીને ફ્રૅન્ચાઇઝીએ ૬ કરોડ રૂપિયામાં તાજેતરમાં રિટેન કર્યો છે. તેણે કહ્યું કે મને આ ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું ગમે છે. એ મારા માટે બીજા ઘર સમાન છે. કેકેઆર દ્વારા બહાર પાડવામાં આવેલી શૉર્ટ ફિલ્મમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આ ક્રિકેટરની યાત્રા વિશે વાત કરવામાં આવી હતી. પોતાની ઍક્શનમાં ફેરબદલ નારાયણ વધુ વેધક બન્યો છે.